સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જાપાનના ઉદ્યોગિક સલાહકારની રાજકોટના ઉદ્યોગપતિઓ સાથે સંવાદ
જાપાનના ઉદ્યોગ જગત પાસેથી ભારતના ફેમીલી બિઝનેસની સસ્ટેઇનેબીલીટી માટેના બીઝનેસ મોડેલની પ્રો.તોશિયો ગોતોનાનું માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ(MBA) અને ઇન્ડસ્ટ્રીઝ ઇન્સ્ટીટયુટ ઈન્ટરેકશન સેલ (IIIC) દ્વારા, ૧૧ મે ૨૦૨૬, સોમવાર ના રોજ જાપાનના સુપ્રસિદ્ધ સંશોધક અને ફેમિલી બિઝનેસ ક્ષેત્રના નિષ્ણાત પ્રોફેસર તોશિયો ગોતો, જેમની ઉમર ૯૪ વર્ષની છે અને હાવર્ડ બીઝનેસ સ્કુલના MBA છે. પ્રો. તોશિયો ગોતો પોતાના જીવન દરમિયાન જાપાનની ૧૦૦૦ વર્ષથી જૂની ફેમિલી બિઝનેસના સલાહકાર રહી ચુક્યા છે. તેઓ ટોકિયોની યુનીવર્સીટી ઓફ ઇકોનોમિકસ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમને IMD કે જે વિશ્વની સર્વ શ્રેષ્ઠ ફેમીલી બીઝનેસની સંસ્થા કહી શકાય. ત્યાં જાપાનીઝ ફેમીલી બીઝનેસ અને તેના ગવર્નન્સ પર કામ કરેલ છે. તેમણે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પ્રો. હિતેશ શુક્લા સાથે કીક્કોમ્માન કોર્પોરેશન, જાપાન કે જે ૪૬૧ વર્ષ જૂની કંપની છે. તેના પર સંશોધન કરેલ છે.
પ્રો. તોશિયો ગોતોએ ફેમીલી બીઝનેસના સકસેસન માટે જાપાનની “ie” કન્સેપ્ટ એટલેકે તેમની કૌટુંબિક સીસ્ટમને ભાર આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ફેમીલી બીઝનેસ ના લોન્જેટીવીટી માટે બીઝનેસ ફર્સ્ટ, મેરીટો ક્રસી, સીસ્ટમ બિયોન્ડ બ્લડલાઈન, સક્સેસન પ્લાનિંગ, ઉપરાંત લીડરશીપ પર ભાર મુકેલ હતો. તેમના વક્તવ્યમાં જણાવ્યું કે ફેમિલીની અપેક્ષા અને બીઝનેસની અપેક્ષા વચ્ચે સંતુલન હોવો જોઈએ. તેઓએ સૌથી વધુ ભાર કુટુંબની વેલ્યુ સીસ્ટમ પર મુકેલો હતો. તેઓએ ફેમીલી અને બીઝનેસના ગવર્નન્સ માટે લાંબાગાળા માટેનો પ્લાન હોવો જોઈએ. તેઓએ પોતાના વક્તવ્યમાં જાપાનના ફેમીલી બીઝનેસ માટે નાણાકીય મૂડી કરતા સોશિયલ કેપિટલને વધુ ભાર આપેલ. પ્રોફેસર ગોતો જાપાનના ફેમિલી બિઝનેસના એવા રહસ્યો શેર કરેલ જેનાથી બિઝનેસને પેઢીઓ સુધી ટકાવી શકાય. પ્રોફેસર ગોતોએ ફેમિલી બિઝનેશની સફળતા માટેના ૬ પાયાના પત્થરો જણાવેલ જેમાં “વિશ્વાસ” એ સૌથી અગત્યનો પાયાનો પત્થર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, “રાજકોટ એ ઉદ્યોગોનું હબ છે. પ્રોફેસર ગોતો જેવા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતની મુલાકાતથી આપણા સ્થાનિક બિઝનેસમેનોને વૈશ્વિક દ્રષ્ટિકોણ મળશે અને તેમના વ્યવસાયને લાંબા ગાળા માટે સ્થિર બનાવવામાં મદદ મળશે.”
આ કાર્યક્રમને અંતે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ચેમ્બર, વિવિધ ઉદ્યોગિક એશોશિએશન અને પ્રો. તોશિયો ગોતો વચ્ચે વિચારોનો આદાન પ્રદાન થયેલ. આ લેક્ચર બાદ રાજકોટના ઉદ્યોગપતિઓ પોતાના ઉદ્યોગોમાં કામ કરવાની પદ્ધતિ, પારિવારિક વ્યવસાયના પડકારો અને આધુનિક ઉદ્યોગોમાં જાપાનીઝ શિસ્ત કેવી રીતે અપનાવવી તે અંગે પ્રોફેસર સાથે સીધા સવાલ-જવાબ કરી શકશે.
આ કાર્યક્રમમાં રાજકોટના ખ્યાતનામ ૪૨ ફેમીલી ઉદ્યોગના માલિકો ઉપસ્થિત રહ્યા. જેમાં, લઘુઉદ્યોગ ભારતીમાંથી હંસરાજભાઈ ગજેરા, બાલાજી વેફર્સમાંથી શ્યામભાઈ વિરાણી, ગોપાલ નમકીનમાંથી બીનાબેન દેત્રોજા, કીચ હાર્ડવેરમાંથી ભરતભાઇ હાપાણી, આર. કે. બિલ્ડરમાંથી રાજેન્દ્રભાઈ સોનવાણી, આર. કે. સિલ્વર ના જયદીપભાઈ વાઢેર, ફાઉન્ડ્રી એશોશીએશનમાંથી ડી. એન. દૂધાત, દિલીપભાઇ મણવર, બાબુ લાઈમમાંથી દિલીપભાઇ લૂણાગારિયા, હારમની લેમિનેટસમાંથી મહેશભાઇ સાવલિયા, આદિત્ય પાવરમાંથી વિરભાઈ શુક્લ, બોન એન્જિનિયરિંગમાંથી આદિ રવાણી, જી. એમ. વાલ્વમાંથી મીતેશ જાવિયા, રૂબિન પ્રિશિઝનમાંથી રમેશભાઈ વોરા, એસ. એન. જે તરફથી જિગ્નેશભાઈ અકબરી, એનડોક ફાર્મામાંથી વિપિનભાઈ પટેલ કોનફિડેન્સ ઓટોમેશનમાંથી મિલનભાઈ ગૌસ્વામી, ઇંડિયન રેલવે તરફથી કૃણાલભાઈ રાજ્યગુરુ, ફોનિક્સ રિસોર્ટમાંથી રિશીત સંઘવી, ભાભા ગ્રુપમાંથી દર્શભાઈ મહેતા, વિવિધ એશોશીએશનમાંથી રાજીવ દોશી, નરેન્દ્રભાઇ મહેતા, દિવ્યેશ ચાંગેલા, વી. પી. વૈષણવ, નરેન્દ્રસિંહ જાડેજા, નરેશભાઇ શેઠ, હિતેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ ઉપરાંત જિમીભાઈ દક્ષિણી હાજર રહેલ.
આ કાર્યક્રમની આભારવિધિ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના રજીસ્ટ્રાર એ. કે. જાડેજા દ્વારા કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે IQAC, IIIC અને MBA ભવન દ્વારા જહેમત ઉઠાવી હતી.


