ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ધો.૧૦–૧૨ના તેજસ્વી તારલાઓનો ‘જ્ઞાનરત્ન અભિવાદન’ સમારોહ યોજાયો
શિક્ષણ એ જ શક્તિ છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર બનાવે છેઃ કેબીનેટ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા
આજના જ્ઞાનરત્નો જ આવતીકાલના ભારતના ભાગ્યવિધાતા બનશે : ધારાસભ્ય ઉદય કાનગડ
સમારોહમાં ૧૦૭૬ તેજસ્વી તારલાઓને શીલ્ડની સન્માનિત કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
વિધાનસભા-૬૮ના ધો.૧૦-૧૨ના માર્ચ-૨૦૨૬ના બોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને શુભેચ્છા આપવાના આશયથી તેમને સન્માનવા ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા ધ્વારા શહેરના અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે સતત ચોથા વર્ષે ‘જ્ઞાનરત્ન અભિવાદન’સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિધાનસભા-૬૮ના ધો.૧૦-૧૨ની પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરનનાર ૧૦૭૬ વિદ્યાર્થીઓનું શિલ્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહનો મંચસ્થ અગ્રણીઓ ધ્વારા દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સમારોહમાં અધ્યક્ષપદે રાજયના કેબીનેટ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, ઉદઘાટક સાંસદ પરસોતમભાઈ રૂપાલા, અતિથિ વિશેષ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, મેયર ડો.નેહલ શુકલ, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા,ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પરેશ પીપળીયા (પી.પી.), શહેર ભાજપ મહામંત્રી લલીત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, ડે.મેયર દક્ષાબેન વસાણી, શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મહામંત્રી અશ્વિન મોલીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ ભાર્ગવ મિયાત્રા, સોમાભાઈ ભાલીયા, શહેર ભાજપ મંત્રી ગેલાભાઈ રબારી, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોડલીયા, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મિલન લીબાશીયા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ, શહેર ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઈ માટીયા, શહેર ભાજપ કિસાન મોરચા મહામંત્રી અનિલસિંહ પરમાર, શહેર ભાજપ અનુ.જાતિ મોરચા મહામંત્રી સંજય બગડા, રાજકોટ આહિર સમાજ પ્રમુખ લાભુભાઈ ખીમાણીયા, પટેલ સમાજ અગ્રણી એસ.આર. પટેલ, અખીલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મંત્રી રમેશભાઈ પરમાર, કારડીયા રાજપુત સમાજના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ, પુરૂષાર્થ યુવક મંડળ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ, ઈમીટેશન જવેલેરી
એસોસીએશનના પ્રમુખ શૈલેષભાઈ રામાણી, સિલ્વર મેન્યુફેકચર એસો.ના પ્રમુખ અલ્પેશભાઈ લુણાગરીયા, સિલ્વર મેન્યુ. એસોસીએશનના અનિલભાઈ તળાવિયા, અતિથિ વિશેષ સિલ્વર મેન્યુ.ના અગ્રણી જે.બી. બુસા, વી.એમ. પટેલ, અગ્રણી બિલ્ડર પ્રવિણભાઈ આંબલીયા, ગુજરાત ચૂવાળીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા, કડવા પટેલ સમાજ અગ્રણી પ્રતાપભાઈ સીનોજીયા, રબારી સમાજ અગ્રણી વિપુલભાઈ બાર, માલી સમાજ અગ્રણી ભાવેશભાઈ સોલંકી, પ્રજાપતિ સમાજ અગ્રણી ગોરધનભાઈ કાપડીયા, સગર સમાજ અગ્રણી પ્રતાપભાઈ બેલડીયા, કચ્છી ભાનુશાળી સમાજનના પ્રમુખ જગદીશભાઈ મંગે, ઉપપ્રમુખ વાલજીભાઈ નંદા, ગુર્જર પ્રજાપતી સમાજના પ્રમુખ મનસુખભાઈ તલસાણીયા, અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ ગોસ્વામી, રોલપ્રેસ વેલફેર એસોસીએશનના પ્રમુખ ગીરધરભાઈ પાથર, પ્રજાપતિ સમાજના અગ્રણી અશોકભાઈ ગોરવાડીયા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, રાજકોટના ઉપપ્રમુખ પરિમલભાઈ પરડવા, વિશાલભાઈ હિરાણી, શહેર ભાજપ અગ્રણી મનસુખભાઈ પીપળીયા, મુખ્ય મહેમાન તરીકે વોર્ડપ્રભારીઓ ભરતસિહ જાડેજા, જે.ડી.ભાખર, રસિકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, જયેશભાઈ દવે, વરજાંગભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખશ્રીઓ રણધીરભાઈ સોનારા, કાનાભાઈ ડંડૈયા, પરેશ લીબાશીયા, અંકિત દુધાત્રા, મયુર વજકાણી, ખોડાભાઈ કાચા (હસુભાઈ), વોર્ડના ક્રોર્પોરેટરો અલ્પાબેન દવે, હિનાબેન બેલાણી, કંકુબેન ઉધરેજા, રાજેશ્રીબેન માલવીયા, ભરત લીંબાશીયા, કાળુભાઈ કુંગશીયા, રસીલાબેન સાકરીયા, સ્મીતાબેન ગોહેલ, સંજય ચાવડા, દિલીપ લુણાગરીયા, ધર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન મોરવાડીયા, અનિલ ચૌહાણ, નિલેશભાઈ હેરભા, શિક્ષક સેલના સંયોજક રામભાઈ ગરૈયા, શિક્ષક સેલના સદસ્ય વિશાલભાઈ હિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ધારાસભ્ય ઉદય કાનગડએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતાં પોતાના ઉદબોધનમાં જણાવેલ કે જીવનની સફરમાં સાચી દિશા મળે તો નિશ્ચિત મંજિલ સુધી પહોચી શકાય છે. સમાજને સંપૂર્ણપણે સુખમય અને સમૃધ્ધ બનાવવા માટે શિક્ષણ એક અતિ મહત્વનું પરીબળ છે. અથાક મહેનત, યોગ્ય શિક્ષણ અને જ્ઞાનસંચય થકી રચાયેલ સુંદર ભાવિ વિદ્યાર્થીની સાથોસાથ રાજય તથા રાષ્ટ્રની પ્રગતિમાં પણ વધારો કરે છે. ધો. ૧૦ અને ધો.૧૨ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીનો આધારસ્તંભ છે.જીવનનો ખૂબ જ મહત્વનો વળાંક છે. આ સમયમાં કારકીર્દીની દિશા નક્કી કરી પોતાની રૂચિ અનુસાર અભ્યાસક્રમ પસંદ કરવો અતિ આવશ્યક છે.
જ્ઞાનરત્ન અભિવાદન સમારોહ નથી, પરંતુ યુવા પ્રતિભાઓનના સપનાઓને નવી દિશા આપવાનો પ્રયાસ છે. આજના વિદ્યાર્થીઓ આવતીકાલના વૈજ્ઞાનિક, શિક્ષક, પ્રશાસક અને રાષ્ટ્રનિર્માતા બનવાના છે. તેમની સિધ્ધિઓનું સન્માન કરીને આપણે વિકસિત ભારતના પાયાને વધુ મજબૂત બનાવી રહયા છીએ.
આ તકે રાજયના શિક્ષણ મંત્રી ડો.પ્રધ્યુમનભાઈ વાજાએ જણાવેલ કે, જ્ઞાનરત્ન એવોર્ડ વિદ્યાર્થીઓનું માત્ર સન્માન જ નથી કરતું, પરંતુ તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ આપે છે.શિલ્ડથી મળતું સન્માન વિદ્યાર્થીના સર્વાગિ વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. તે માત્ર એક પારિતોષિક નથી પણ એક સંકેત છે કે આગળના માર્ગ પર પુરી લગન, વિશ્વાસ, મહેનત અને નિષ્ઠાથી ચાલવામાં એક દિવસ સફળતા જરૂર મળે છે. ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક ક્રાંતિકારી પરિવર્તનો થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવશે.પુસ્તકથી પ્રગતિ સુધીની સફર જ ભારતને વિશ્વગુરૂ બનાવશે, શિક્ષણ એ જ શકિત છે, જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર બનાવે છે
તેમણે વિદ્યાર્થીઓને સતત જ્ઞાન પ્રાપ્ત કરવા, ટેકનોલોજી સાથે જોડાવવા અને સમાજ તથા રાષ્ટ્રના વિકાસમા સક્રિય યોગદાન આપવા અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનપદે સુશાસનના ગૌરવપૂર્ણ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવણીના ભાગરૂપે અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ હોલ પાસે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ધારાસભ્ય ઉદય કાનગડએ અને કાર્યક્રમની વ્યવસ્થા શાળા સંચાલક મંડળના મેહુલભાઈ પરડવા તેમજ જયદીપ જલુએ સંભાળેલ હતી.


