By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    1 hour ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

Editor
Last updated: 2026/06/15 at 4:50 PM
20 minutes ago
Share
રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા
SHARE

સુરક્ષાના સાત તાળા તૂટ્યા

રાજકોટ બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીરો ભાગ્યા, 5 ઝડપાયા

સીસીટીવી કેમેરા અને લોખંડની જાળી તોડી પૂર્વ આયોજિત રીતે ભાગ્યા; હજુ છ સગીરો ફરાર, 13 પોલીસ ટીમો શોધખોળમાં, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 સગીર આરોપીઓ એકસાથે ફરાર થઈ જતાં પોલીસ અને વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ત્રણ દિવસ અગાઉ જ ફરીથી બાળ સંરક્ષણ ગૃહમાં લાવવામાં આવેલા એક કુખ્યાત બાળ આરોપીએ અન્ય સગીરો સાથે મળીને ભાગવાનો પ્લાન ઘડ્યો હોવાનું ખુલ્યું છે. ઘટનાના કલાકોમાં જ એક પાકિસ્તાની સગીર પોતાની મેળે પરત ફર્યો હતો, જ્યારે ચારને લીમડી અને વિરમગામ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. જોકે હજુ છ સગીરો પોલીસની પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ માટે 13 ટીમોને કામે લગાડવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, બાળ સંરક્ષણ ગૃહમાં રહેતા સગીર આરોપીઓએ વહેલી સવારે તકનો લાભ લઈ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો હતો. બાળકોના બે જૂથે મળીને આયોજનબદ્ધ રીતે ભાગવાની યોજના બનાવી હતી. એક તરફ કેટલાક બાળકો વોર્ડનનું ધ્યાન ભટકાવવા માટે નાટક કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ અન્ય સગીરોએ પાછળના ભાગમાં આવેલી મજબૂત લોખંડની જાળી તોડી નાસી છૂટવાનો માર્ગ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, તેમની હિલચાલ કેમેરામાં કેદ ન થાય તે માટે ઉપર લગાવાયેલ સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
એકસાથે 11 બાળકો ભાગી જવાના બનાવની જાણ થતાં જ જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરાવી હતી. બાળ સંરક્ષણ ગૃહ જેવી સંવેદનશીલ સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં સગીરો ફરાર થતાં સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કલેક્ટર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના કોઈ અચાનક બનેલી નથી, પરંતુ સંપૂર્ણપણે પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ છે. બાળકો દ્વારા કેમેરા તોડવાથી લઈને વોર્ડનનું ધ્યાન અન્યત્ર દોરવા માટે કરાયેલા પ્રયાસો સુધી દરેક બાબત તેમના આયોજનનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
બીજી તરફ શહેર પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી તથા અન્ય શાખાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ શહેરની બહાર જતાં મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન બે બાળ આરોપીઓ લીમડી અને બે વિરમગામ પહોંચ્યા હોવાની ચોક્કસ માહિતી મળતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચારેયને કસ્ટડીમાં લઈ ફરીથી રાજકોટ લાવવામાં સફળતા મેળવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર ગણાતો એક બાળ આરોપી અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. તે અગાઉ પણ બાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગી છૂટ્યો હતો અને થોડા દિવસ પહેલાં જ ફરીથી પકડીને અહીં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અન્ય સગીરો સાથે મળીને ફરીથી ભાગવાની યોજના બનાવી હતી. પોલીસે હાલ આ બાળ આરોપીને પણ ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ બાળ સંરક્ષણ ગૃહની આંતરિક વ્યવસ્થા અને સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. અગાઉ પણ અહીં સગીરો વચ્ચે મારામારી, તોડફોડ તેમજ પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના બનાવો સામે આવ્યા હતા. તેમ છતાં સુરક્ષા વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. જો આવી બેદરકારીના કારણે સગીરો કોઈ ગંભીર અઘટિત કૃત્ય આચરે તો તેની જવાબદારી કોની રહેશે તે પ્રશ્ન પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.
મહત્વનું એ છે કે ફરાર થયેલા સગીરો સામાન્ય ગુનાઓમાં નહીં પરંતુ ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા. કેટલાક સામે હત્યા, હત્યાની કોશિશ, પોક્સો, લૂંટ, હથિયાર રાખવા, ધમકી આપવા અને ગંભીર ગુનાના કાવતરાં જેવા કેસ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ સગીરોની ઝડપી શોધખોળ પોલીસ માટે પ્રાથમિકતા બની છે.
હાલ પોલીસની 13 વિશેષ ટીમો અલગ-અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બાકીના છ સગીરોને પણ ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે. જોકે આ ઘટનાએ રાજકોટના બાળ સંરક્ષણ ગૃહની સુરક્ષા વ્યવસ્થા અને વહીવટી દેખરેખ અંગે ગંભીર ચર્ચા છેડી દીધી છે.

You Might Also Like

રાજકોટમાં નકલી પોલીસનો કારસો ; યુવકોને ધમકાવી 50 હજારની માંગણી કરી

ભિક્ષાવૃત્તિ કરવા જતી પત્ની પતિને ન ગમી, જાહેરમાં કર્યો જીવલેણ હુમલો

તમે અમારા લગ્ન તોડાવી રહ્યા છો,  કહી નાનાજી સસરાની હત્યા

કુવાડવા નજીક અકસ્માતમાં મોતને ભેટેલા મોલડીના 4 હતભાગીઓની એક સાથે અર્થી નીકળી

 મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ધો.૧૦–૧૨ના તેજસ્વી તારલાઓનો ‘જ્ઞાનરત્ન અભિવાદન’ સમારોહ યોજાયો
રાજકોટ

ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા ધો.૧૦–૧૨ના તેજસ્વી તારલાઓનો ‘જ્ઞાનરત્ન અભિવાદન’ સમારોહ યોજાયો

Editor By Editor 57 minutes ago
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવે મહિનામાં ચાર વાર મળશે
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક રામાશ્રય પાંડેએ રાજકોટ–ઓખા રેલવે સેક્શનનું સેફ્ટી નિરીક્ષણ કર્યું
જાફરાબાદના કડીયાળીમાં પ્રેમ સંબંધમાં યુવકની હત્યા કરનાર યુવતીના પિતા સહિત ચારની ધરપકડ
જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?