ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ
શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દારૂ પી ને આવતા હોવાની વાલી ઓએ ફરિયાદ કરી વેકેશન ખુલ્યુ પણ 7 વિધાર્થી ગામ ની કુમાર અને કન્યા શાળા માં અભ્યાસ કરી રહ્યા છે અને હાજરી સીમ શાળામાં ભરાઈ છે
અગ્ર ગુજરાત, ઉના
ઉના તાલુકા ના નાના એવા સનખડા ગામ ની સીમ શાળા નંબર 2 માં ફક્ત 7 વિધાર્થી અભ્યાસ કરતા હોય અને સરકારે વાડી વિસ્તાર ના બાળકો ને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા શુભ હેતુ થી નવું બિલ્ડિંગ મંજૂર કરી આપેલ અને હાલ લાખો રૂ ના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થઈ ગયેલ છે પણ શાળા ના બિલ્ડિંગ માં તાળા લાગ્યા છે આ શાળા માં અભ્યાસ કરતા 7 વિધાર્થી ઓ ગામ માં આવેલ કુમાર અને કન્યા શાળા માં અભ્યાસ કરવા જાય છે આજે સીમ વિસ્તાર ના વાલી ઓને જયહિન્દ દૈનિક ના પ્રતિનિધિ એ રૂબરૂ મુલાકાત કરી તો સૌ પ્રથમ જ્યાં સીમ શાળા નું નિર્માણ થયું છે તે જગ્યા પ્રતાપ સિંહ હનુભાઈ ગોહિલના પરિવારજનો એ 30 વર્ષ પહેલા દાન માં આપેલ છે.
તેમનો હેતુ એ હતો કે વાડી અને સીમ વિસ્તાર ના બાળકો અભ્યાસ કરી શકે એક સમયે આ સીમ શાળા માં 100 બાળકો અભ્યાસ કરતા અને હવે માત્ર 7 બાળકો અભ્યાસ કરે છે વધુ માં આ વિસ્તાર ના વાલી ઓ એ જણાવેલ કે અહીંયા સીમ શાળા માં પાણી ની પૂરતી સુવિધા નથી અને પાણી જે આવે છે તે ખારાશ વાળું પાણી આવે છે અને વીજળી ની પણ સુવિધા નથી સરકાર દ્વારા છેવાડા ના લોકો સુધી વિકાસ પહોચાડવાની વાત કરે છે પણ શાળા માં વિધાર્થી માટે બિલ્ડિંગ બનાવ્યું પણ લાઈટ અને પાણી ની સુવિધાથી વંચિત છે તે સીવાય અન્ય એક વાલી ઉદયસિંહ કેશુભા ગોહિલે જણાવેલ કે અમારા વિસ્તાર માં જે સીમ શાળા આવેલ છે એ સીમ શાળા માં ફરજ બજાવતા શિક્ષકો દારૂ નું સેવન કરી ને આવતા હતા જે શિક્ષણ માટે કલંકિત કહેવાય જ્યારે વાલી ઓ તૈયાર છે પણ દારૂ નું સેવન કરી ને જે શિક્ષકો આવતા એ ના આવવા જોઈએ અને શાળા માં સુવિધા ઉપલબ્ધ કરાવે એ મહત્વ નું છે
આ બાબતે તાલુકા શિક્ષણાધિકારી એ કેમેરા સામે બોલવાની ના પાડી પણ શિક્ષકો દારૂ પી ને જતા એ વાત નો સહર્ષ સ્વીકાર કર્યો અને શાળા શરૂ કરવાની વાત કરી અને જે શિક્ષકો દારૂ નું સેવન કરી ને જતા હતા તેમને તાલુકા ના અન્ય ગ્રામ્ય વિસ્તાર ની સ્કૂલ માં ફરજ પર મોકલી આપ્યા છે જ્યારે શાળા નું બિલ્ડિંગ બની ગયું છે અને 7 વિધાર્થી છે જેમાં કન્યા છે એ ગામ ની કન્યા શાળા માં અભ્યાસ કરે છે અને કુમાર છે એ કુમાર શાળા માં અભ્યાસ કરે છે પણ શિક્ષણ વિભાગે આ વાત ની ગંભીરતા સમજી ને શાળા શરૂ કરાવે તેવી વાલી ઓની માંગણી છે અને વાડી વિસ્તાર ના લોકો એ પણ કહ્યુંકે શાળા શરૂ કરાવે પણ શિક્ષકો બદલાવે પહેલા પછી અમે ઘરે ઘરે જઈ ને વિધાર્થાઓના એડમિશન માટે શિક્ષકો સાથે જઈશું હાલ સ્કૂલ માં તાળા છે પરંતુ વિધાર્થી પણ ગામ ની સરકારી શાળા માં અભ્યાસ કરે છે.


