જેતપુરમાં તા.૧૫ થી ૨૧મી સુધી યોજાશે શ્રીમદ્ ભાગવત કથા
બાલાજી મંદિર (ભૂપેન્દ્ર રોડ, રાજકોટ)ના મુખ્ય કોઠારી પ.પૂ. વિવેકસાગરદાસ સ્વામી કથામૃતનું રસપાન કરાવશે
રામનાથ મંદિરથી વાજતે ગાજતે નીકળશે મંગળ પોથી યાત્રા
કથામાં નિરંજનભાઈ પંડ્યા સહિતના ૧૦ થી વધુ ખ્યાતનામ કલાકારો જમાવશે ભક્તિ સંગીતની રમઝટ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુર શહેરમાં આગામી તા.૧૫-૭-૨૦૨૬ થી ૨૧-૭-૨૦૨૬ સુધી એક ભવ્યાતિભવ્ય અને દિવ્ય ‘શ્રીમદ્ ભાગવત કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસપીઠ પર બાલાજી મંદિરના મુખ્ય કોઠારી તથા સ્વામિનારાયણ આશ્રમ તીર્થધામ (સાંકળી)ના સંસ્થાપક પ.પૂ. વિવેકસાગરદાસજી સ્વામી બિરાજીને ભક્તોને કથામૃતનું રસપાન કરાવશે.
આ ભવ્ય આયોજનના નિમંત્રક તરીકે ધનરાજગીરી ઈચ્છાગીરી ગોસાઈ, દીપભાઈ રાજેશભાઈ ચુડાસમા અને ધરાબેન ગૌરવભાઈ ગુલેરીયા છે. કથાના મુખ્ય યજમાન પદે પ્રતાપભાઈ જીલુભાઈ ધાધલ તથા ભરતભાઈ જીલુભાઈ ધાધલ બિરાજમાન થશે.
આ કથા ઓશો જીવન-જ્યોત ધ્યાન કેન્દ્ર, વિશાલ મેગા મોલ ની બાજુમાં, ખોડપરા-જેતપુર ખાતે દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦ કલાકે યોજાશે. પોથી યાત્રા તા.૧૫ને બુધવારના રોજ બપોરે ૪:૩૦ કલાકે (રામનાથ મંદિર, ખોડપરા)થી નીકળશે. શ્રી રામ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ તા.૧૮-૭ને શનિવારે સાંજે ૬:૦૦ કલાકે, રૂકમણી વિવાહ તા. ૨૦-૭ને સોમવાર, સાંજે ૬:૦૦ કલાકે, કથા વિરામ તા.૨૧-૭ને મંગળવાર, સાંજે ૬:૦૦ કલાકે યોજાશે.
કથા દરમિયાન પ.પૂ.સ.ગુ. મહંત સ્વામી નીલકંઠચરણદાસજીસ્વામી (ગાદી સ્થાન જેતપુર), ૫.પૂ.કો. શાસ્ત્રી રાધારમણદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. શાસ્ત્રી કૃષ્ણપ્રકાશદાસજીસ્વામી (દ્વારકા), ૫.પૂ. શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજીસ્વામી (જૂનાગઢ), પ.પૂ. શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજીસ્વામી (ખીરસરા), પ.પૂ. શાસ્ત્રી નિર્મળદાસજીસ્વામી (વિરપુર), ૫.પૂ. શાસ્ત્રી આનંદસ્વરૂપદાસજીસ્વામી (વિસાવદર), પ.પૂ.કો. શાસ્ત્રી આનંદ સ્વરૂપદાસજીસ્વામી (ગોંડલ), પ.પૂ. પુજારી ભકતવત્સલદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. મુનિવત્સલદાસજીસ્વામી (રાજકોટ), પ.પૂ. રામદયાલદાસ બાપુ (જીથુડી હનુમાન), પ.પૂ.કમલનાથજી ગુરુ ગીતાનાથજી (ભીડભંજન મહાદેવ-જેતપુર), પ.પૂ. કનૈયાચંદજી ગુરુ આત્માનંદનજી (નૃસિંહજી મંદિર), પ.પૂ. રમેશગીરી મનુગીરી (ભદ્રેશ્વરમહાદેવ), ૫.પૂ. ભૈરવ ચેતનગીરી રુદ્રાક્ષ (જોડીયા હનુમાન), પ.પૂ. ગણેશદાસજી બાપુ (આખા મઢી), પ.પૂ. દિલીપગીરીબાપુ (મહંત કાળભૈરવ મંદિર – સાયપર) અને પ.પૂ. બળવંતગીરી ગૌસ્વામી (ધનેશ્વર મહાદેવ-પીપળ) પધારી આશીર્વાદ પાઠવશે.
કથામાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા (જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી), રાજુભાઈ ઉસદડીયા (પૂર્વ પ્રમુખ, જેતપુર), મેનાબેન રાજુભાઈ ઉસદડીયા (પ્રમુખ ન.પા.), સ્વાતિબેન સંજયભાઈ જોટંગિયા (ઉ. પ્રમુખ ન.પા.), રાજુભાઈ હિરપરા (અગ્રણી ઉદ્યોગપતિ), R.K. સમીરભાઈ શાર્દુલભાઈ વાળા (જેતપુર સ્ટેટ), રફીકભાઈ મુસાણી, દડુભાઈ ખાચર (સુપર ગેસ), જયેશભાઈ ગોસ્વામી, એડવોકેટ ખુમાણ, રિનાબેન દવે, સુમિતાબેન ઉસદડીયા, અયુબભાઈ તરખેશા (ન.પા.સુ.સભ્ય), કિરણભાઈ લૂણી (ન.પા.સુ.સભ્ય), અમિશભાઈ ત્રાડા (ન.પા.સુ.સભ્ય) અને મામદભાઈ કુરેશી (ન.પા.સુ.સભ્ય) વિશેષ હાજરી આપશે.
દાતાઓ તરીકે રબારી બાબુભાઈ નાથાભાઈ, હિમાંશુભાઈ દિનેશભાઈ વઘાસિયા, પ્રવીણભાઈ બાબુલાલ ખેતાણી, સુધીરભાઈ બાબુલાલ ખેતાણી, સત્યમભાઈ ખાચર, નિરવભાઈ હરસુખભાઈ સાકરીયા અને જયેશભાઈ કાંતિભાઈ દેત્રોજા (બીલીપત્ર સોસાયટી)નો સહયોગ મળેલ છે.
આ ઉપરાંત આમંત્રિત મહેમાનોમાં અજીતસિંહબાપુ જાડેજા, બળવંતભાઈ ધામી, જેન્તીભાઈ રામોલિયા, પ્રદીપભાઈ ભાખર, બિંદિયાબેન મકવાણા, ચંદ્રેશભાઈ વીંછી, દિલીપભાઈ દેસાઈ, જીતુભાઈ પારધી, હરીભાઈ પારધી, પ્રવિણભાઈ પારધી, મનોજભાઈ પારધી, પ્રફુલભાઈ અપારનાથી, ડો.વિસાણી, શારદાબેન વેગડા, ભાદુગીરી બાપુ (રિટાયર્ડ PSI), શૈલેશગીરી ગોસાઈ (ASI રાજકોટ), મનોજભાઈ રબારી, મહેશભાઈ ગોસ્વામી, દાનાભાઈ લૂણી, દિપુભાઈ લૂણી, સત્યેન ગોસાઈ, હરેશભાઈ પંડ્યા અને કમલેશભાઈ પંડીયા (અગ્રણી) પધારી કથાની શોભા વધારશે.
સંગીતમય કાર્યક્રમમાં કથામાં સંગીતની રમઝટ નિરંજનભાઈ પંડ્યા, નારણભાઈ ઠાકર, શાન્તાબેન પરમાર, શ્રવણ બાપુ, જયભાઈ ગોહેલ, પ્રકાશગીરી મેઘનાથી, હાર્દિકભાઈ પંડ્યા, બાબુભાઈ તારપરા, અને કેશુભાઈ જાલા. રાજુભાઈ મકવાણા, વિનોદભાઈ જસાણીયા, ઋષિ વાળા, જીતુભાઈ સોની, જીતુભાઈ બગડા, કિશોરભાઈ વાઘેલા, પ્રિતેશભાઈ સાવલિયા, રાહુલભાઈ બારોટ અને નૈતિક વાઘેલા, ભરતભાઈ બારોટ, નરોત્તમભાઈ અને વજાભાઈ રાઠોડ બોલાવશે.
આ સમગ્ર કથાને સફળ બનાવવા સભા સંચાલક પ.પૂ. શાસ્ત્રી ઋષિકેશદાસજીસ્વામી (ભોજપરા) ની આગેવાનીમાં આયોજક સમિતિના રામનાથ મિત્રમંડળ, એકતા મહિલામંડળ, વનરાજભાઈ ગીડા, પ્રવિણગીરી ગૌસ્વામી, કૌશિકગીરી ગૌસ્વામી, ભુપેનગીરી ગૌસ્વામી, જાવેદભાઈ છૂટાણી, ધર્મેશભાઈ રાઠોડ, દિપ્તીબેન ગોંડલ અને સોનલબેન સંજયભાઈ વાળા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.


