By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં માત્ર જુનિયર ઇજનેરો સસ્પેન્ડ થતાં ઇશ્મ્માં ભડકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં માત્ર જુનિયર ઇજનેરો સસ્પેન્ડ થતાં ઇશ્મ્માં ભડકો

agragujaratnews
Last updated: 2023/11/04 at 11:49 PM
3 years ago
Share
પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં માત્ર જુનિયર ઇજનેરો સસ્પેન્ડ થતાં ઇશ્મ્માં ભડકો
SHARE

  • જુનિયરો સાથે સિનિયરો સામે શિક્ષાત્મક કાર્યવાહી કેમ નહીં તે અંગે ભારે રોષ
  • એન્જિનિયરોના એસોસિયેશને આ મુદ્દે વિભાગનાં સેક્રેટરીને મળી લેખિત આવેદનપત્ર પણ સોંપ્યું
  • ચીફ એન્જિનિયરે શા માટે કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે નોંધ કરી નથી, તેવા પુછાતા પ્રશ્નો

 પાલનપુરમાં નવો રેલવે ઓવરબ્રિજ તૈયાર થતાં પહેલાં તૂટી પડવાની દુર્ઘટનામાં બે જુનિયર કક્ષાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરવાના રાજ્ય સરકારના પગલાં સામે માર્ગ-મકાન વિભાગમાં ભારે નારાજગી સાથે તીવ્ર રોષ પ્રવર્ત્યો છે. એન્જિનિયરો કહે છે કે, જો કોન્ટ્રાક્ટર કંપની મેસર્સ જી.પી. ચૌધરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નિષ્કાળજી- બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ છે, તો જુનિયર એન્જિનિયરો સામે કેમ પગલાં લેવાયા છે, જો જુનિયર એન્જિનિયરો દોષિત છે, તો સિનિયર એન્જિનિયરો સામે કેમ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થતી નથી. એન્જિનિયરોના એસોસિયેશને આ મુદ્દે વિભાગનાં સેક્રેટરીને મળી લેખિત આવેદનપત્ર પણ સોંપ્યું છે.

જાણકાર સૂત્રો કહે છે કે, ગત 23 ઑક્ટોબરે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં દુર્ઘટના સર્જાઈ, તેના 9 દિવસ પહેલાં 14 ઑક્ટોબરે માર્ગ-મકાન વિભાગમાં નેશનલ હાઈવે પ્રભાગ સંભાળતા ચીફ એન્જિનિયર એચ.સી. મોદી ઘટના સ્થળે ઇન્સ્પેક્શન માટે ગયા હતા, પરંતુ એમણે કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આચરવામાં આવી રહેલી બેદરકારી અંગે કોઈ નોંધ જ કરી ન હતી. પરિણામે દુર્ઘટના પછી ઈડર સબડિવિઝનના સુપરવિઝન ઑફિસર સાવન આર. પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર મૃણાલ ડી. વિઠ્ઠલપરા જેવા માત્ર જુનિયર એન્જિનિયરો સામે જ કાર્યવાહી થતાં એન્જિનિયરો ભડક્યાં છે.

R&B સેક્રેટરી ચીફ એન્જિનિયરની વિઝિટ અંગે પૂરા માહિતગાર

રાજ્યના માર્ગ-મકાન વિભાગના સેક્રેટરી અશોક પટેલ વિભાગના ચીફ એન્જિનિયર દુર્ઘટનાના દસ દિવસ પહેલાં સાઇટ વિઝિટ માટે ગયા હોવાનું કબૂલે છે, પણ આ વિષય ઉપર બીજી કોઈ બાબત અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી રહ્યાં છે, ઊલટાનું, દુર્ઘટના બાદ મીડિયામાં આવેલા સમાચાર બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

રજૂઆતનો મોકો આપ્યા વિના સસ્પેન્શન જેવું આત્યંતિક પગલું વાજબી નથી : યુનિયન

રાજ્યના એન્જિનિયરોનું યુનિયન- એસોસિયેશન ઑફ આસિસ્ટન્ટ એન્જિનિયર્સ-સિવિલના પદાધિકારીઓએ બે દિવસ પહેલાં સાગમટે વિભાગના સેક્રેટરીને મળીને પાલનપુરની ઘટના સહિત વારંવાર બનતી દુર્ઘટનાઓમાં માત્ર જુનિયર એન્જિનિયરોને દંડવાની માનસિકતા સામે રોષ ઠાલવ્યો છે. એમણે લેખિત આવેદનમાં જણાવ્યું છે કે, ‘મોટાભાગના ફરજ મોકૂફીના કિસ્સાઓમાં જે તે અધિકારીને પોતાનો પક્ષ રાખવાનો મોકો કે તક આપ્યા વગર તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાય છે. અદાલત પણ આરોપીને સાંભળ્યા વિના ચુકાદો આપતી નથી ત્યારે વિભાગ દ્વારા લેવાતાં એક તરફી પગલાં એ ક્યાંનો ન્યાય ? એટલે કોઈ પણ કર્મચારીને કે અધિકારીને મોકો આપ્યા સિવાય તેની સામે આત્યંતિક પગલું ના લેવાવું જોઈએ કેમ કે આવા પગલાંથી કર્મચારી-અધિકારીની માનસિકતા ઉપર વિપરીત અસર પડે છે અને તેનું કુટુંબ આર્થિક રીતે બેહાલ થઈ જાય છે.’

ચીફ એન્જિનિયર કહે છે કે, પાલનપુર ROBની પ્રશંસા કરતો વીડિયો ખુદ રેલવેએ જારી કરેલો

નેશનલ હાઇવે પ્રભાગના ચીફ એન્જિનિયર કહે છે કે, ગર્ડર ક્રેનથી ગોઠવવામાં માનવીય-ટેક્નિકલ ભૂલ થઈ હતી, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો, મટિરિયલની ગુણવત્તા બાબતમાં હજી ફાઇનલ રિપોર્ટ આવ્યો નથી. તેઓ કહે છે કે, જે જગ્યાએ એક પછી એક 6 ગર્ડર ટોપલ થયા તે જગ્યાએ ગર્ડર ગોઠવવાનું કામ તો 19-20 ઑક્ટોબરના અરસામાં શરૂ થયું હતું અને દુર્ઘટના પહેલાં કોન્ટ્રાક્ટર એજન્સીએ સદર આરઓબી ઉપર 265 જેટલા ગર્ડર સફળતાપૂર્વક ગોઠવાઈ ચૂક્યા હતા. તેઓ તો એમ પણ કહે છે કે, રેલવે મંત્રાલય કે જેના હેઠળ આ આરઓબીનું કામ થઈ રહ્યું હતું, તેણે તો પાલનપુર આરઓબીના કોન્ટ્રાક્ટમાં જે એલિવેટેડ ‘રોટરી’ મૂકવાનું કાર્ય થયું છે તેની ભરપૂર પ્રશંસા કરતો વીડિયો પણ 6ઠ્ઠી ઑક્ટોબરે ટ્વિટર ઉપર મૂક્યો હતો, એટલે જો આ આરઓબીમાં દુર્ઘટના ના સર્જાઈ હોત તો કામ પત્યા પછી એને ‘એન્જિનિયરિંગ મારવેલ’ ગણવામાં આવ્યો હોત.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

પરમીટ, ફીટનેસ, લાયસન્સ વગર સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર RTOની ઝપટે ચડ્યા

Editor By Editor 5 days ago
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ
જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું
સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?