- રામ મંદિરના નિર્માણને લઇ મુસ્લિમ રાષ્ટ્રીય મંચનો દાવો
- “અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી 74 ટકા મુસ્લિમો ખુશ”
- “સર્વેમાં 72 ટકા મુસ્લિમોએ મોદી સરકારની તરફેણમાં અભિપ્રાય આપ્યો”
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (MRM)એ દાવો કર્યો હતો કે, દેશના મોટાભાગના મુસ્લિમો માને છે કે ભગવાન રામ દરેકના છે અને તેઓએ રામ મંદિરની તરફેણમાં મતદાન કર્યું છે.
ગુજરાત સ્થિત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી હાથ ધરાયેલા સર્વેના તારણોને ટાંકીને, MRMએ દાવો કર્યો હતો કે લઘુમતી સમુદાયના સભ્યો કહેવાતા ઉલેમાઓ, મૌલાનાઓ અને વિપક્ષી નેતાઓને ઇચ્છે છે જેઓ ઇસ્લામના નામે રાજકીય પોઈન્ટ સ્કોર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમનો સંપૂર્ણ બહિષ્કાર કરવો જોઈએ.
સર્વે રિપોર્ટને આધારે RSSના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમારની આગેવાની હેઠળના MRMએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણથી 74 ટકા મુસ્લિમો ખુશ છે. એટલું જ નહીં સર્વેમાં 72 ટકા મુસ્લિમોએ ખુલ્લેઆમ મોદી સરકારની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ સિવાય આ સર્વેમાં 26 ટકા મુસ્લિમ એવા હતા જેમણે સરકાર પર કોઈ વિશ્વાસ વ્યક્ત કર્યો ન હતો અને તેમના પર ધાર્મિક કટ્ટરતાનો આરોપ લગાવ્યો હતો.


