- ફેઝલ પટેલ અને મુમતાઝ પટેલનો વિરોધ
- ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા યથાવત
- ભાજપ પણ પોતાના ઉમેદવાર માટે રાખશે નજર
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની આજે ઔપચારિક જાહેરાત થશે. બંને પક્ષો સવારે 11:30 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરશે. આમ આદમી પાર્ટી વતી સંગઠન મહાસચિવ સંદીપ પાઠક, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આતિશી હાજર રહેશે. કોંગ્રેસ દ્વારા ગઠબંધન માટે રચાયેલી સમિતિના અધ્યક્ષ મુકુલ વાસનિક, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના દિલ્હી-હરિયાણા પ્રભારી દીપક બાબરિયા હાજર રહેશે.
કોંગ્રેસમાં ઉકળતા ચરૂ
જ્યાં ગુજરાત કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ભરૂચમાં AAP સાથે ગઠબંધનને લઈ કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને લઈ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના કેટલાક સભ્યો AAP સાથે ગઠબંધનના વિરોધમાં જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ સ્વ.અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે રાહુલ ગાંધીને વાત કરી છે. આ સાથે જ ભરૂચ બેઠક પર ફેઝલ પટેલનું નામ જાહેર કરવા કોંગ્રેસની માગ કરી છે.
AAP દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો
જ્યારે બીજી તરફ AAP દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. અને AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાનો પ્રચાર કાર્યક્રમ યથાવત રાખ્યો છે. ચૈતરની ભરૂચ જિલ્લાના વાલિયામાં સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે. આ તરફ તેઓ ચૂંટણી લડવાના મક્કમ છે. તેવું AAP ના નેતાઓ દ્વારા પણ જોવા મળી રહ્યું છે.
ભાજપની પણ ગઠબંધન પર નજર
આ તમામ મામલે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પર ભાજપની નજર રહેલી છે. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાદ ભાજપ લેશે નિર્ણય તેવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આ દરમિયાન ભાજપની કોર કમિટી દ્વારા તમામ ઘટના પર નજર રાખવામાં આવી રહી છે. મનસુખ વસાવાને રિપિટ કરવા કે નહીં જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાદ ભાજપ નિર્ણય લેશે.


