જામનગરની ધરતી ઉપર વિશ્વ સિતારાઓનું આગમન
અનંત- રાધિકાએ લોકોના દિલ જીત્યા: ગામ જમણ કરી અંબાણી પરિવારે નગરશેઠ પરંપરા જીવંત કરી
કાઠિયાવાડમાં કો’ ક દિ ભુલો પડ્ય ભગવાન તને સરગ(સ્વર્ગ) ભુલાવું. આપણા લોકકવિ પાલરવ પાલિયાએ રચેલો દુહો કાઠિયાવાડની ભવ્યાતિભવ્ય મહેમાનગતિની પ્રતિક બની છે. આજે જામનગરની ધરતી ઉપર આ કહેવત સાર્થક થઇ રહી છે. રિયાલયન્સ સમુહના મૂકેશ અંબાણી-નીતા અંબાણીના પુત્ર અનંતના લગ્ન પ્રસંગે જામનગર મોટી ખાવડીની ધરતી ઉપર સમગ્ર વિશ્વના સિતારાઓ લગ્નપ્રસંગ મહાલવા આવી પહોંચ્યા છે. સૌથી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે અંબાણી પરિવારે સમગ્ર લગ્ન પ્રસંગને કાઠિયાવાડી ગુજરાતી વિરાસતનો ટચ આપ્યો છે. જામનગર એરપોર્ટ ખાતે વિશ્વની ટોચની સેલિબ્રિટી ઉતરે તેનું સ્વાગત કાઠિયાવાડી,ગુજરાતી ગીત સંગીત ,ગરબાથી કરવામાં આવ્યુ હતું. સમગ્ર લગ્નોત્સવને ગુજરાતી ટચ આપી અંબાણી પરિવારે લોકોના દિલ જીતી લીધા છે. આ પ્રસંગ વિશ્વ માટે ગુજરાતની સંસ્કૃતિની ઓળખ સમાન બની રહેશે. અનંત,રાધિકા,મૂકેશ અંબાણી,નીતા અંબાણી સહિતના પરિવરજનોએ જે રીતે ગામ જમણ કરી લોકોને પ્રેમથી પીરસીને જમાડયા એ જુની નગરશેઠ પરંપરાથી કમ નથી. આ લગ્ન પસંગ્રમાં વિશ્વના જે મહારથીઓ આવ્યા છે તેની યાદિ કરવા બેસીએ તો ટુંકી પડે પરંતુ સમગ્ર વિશ્વના પાવર હાઉસ જેવા અસંખ્ય બહાનુભાવો જામનગરની ધરતી ઉપર ઉતર્યા છે. આ મહાનુભાવો ન માત્ર લગ્ન પ્રસંગની શોભા બનશે પરંતુ કાઠિયાવાડી મહેમાનગતિ,સંસ્કૃતિ અને ખરા વિશ્વબંધુત્વનો સંદેશ લઇને જશે.