- ઈન્ડોનેશિયામાં છેલ્લા 14 દિવસમાં છઠ્ઠી વાર જવાળામુખી ફાટયો
- જવાળામુખીને લીધે તંત્રએ 11 હજાર લોકોનું રૅસ્કયૂ કર્યું
- ઈન્ડોનેશિયાના એરપોર્ટને બંધ કરવામાં આવ્યો
દુનિયામાં સક્રિય જવાળામુખી પૈકીનો ઈન્ડોનેશિયામાં આવેલો માઉન્ટ રૂઆંગમાં જવાળામુખી ફાટી નીકળ્યો છે. જવાળામુખીમાં વિસ્ફોટ પછી સુનામીની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર આગામી આદેશ સુધી એરપોર્ટ બંધ રાખવાનો નિર્દેશ અપાયા છે. રૂઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત પાંચ કિલોમીટરના અંતર સુધી કોઈને પણ નજીક જવાની મંજૂરી નથી. વિસ્ફોટ પછી ચારેતરફ અંધારું છવાયું હતું. ત્યારબાદ વીજળી અને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેનાથી બારીઓનાં કાચ તૂટી ગયાં હતાં.
14 દિવસમાં છઠ્ઠી વખત જવાળામુખી ફાટયો હતો. 16 અને 30 એપ્રિલે એક-એક, 17 એપ્રિલે ચાર અને 16 એપ્રિલે રાત્રે 9.45 મિનિટે જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી અનુસાર, માઉંટ રુઆંગ પર 17 એપ્રિલે જવાળામુખીમાં ચાર-ચાર વિસ્ફોટ થયા હતા. આના લીધે હજારો ફૂટ ઉંચો લાવા અને રાખ પથરાઈ ગઈ હતી. આની પહેલા વર્ષ-1871માં ઈન્ડોનેશિયામાં અત્યાર સુધી સૌથી મોટો જવાળામુખી વિસ્ફોટ થયો હતો.
ઈન્ડોનેશિયામાં તંત્ર દ્વારા કાર્યવાહી પૂરજોશમાં
ઈન્ડોનેશિયામાં કુદરતી હોનારત કેન્દ્ર એલર્ટ મોડ ઉપર છે. ડિઝાસ્ટર મેનેજટમેન્ટના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે માઉંટ રુઆંગ પાસે તાજેતરમાં બે ભૂકંપ આવ્યા હતા. જેથી ટેક્ટોનિક પ્લેટ્સ અસ્થિર થઈ. જે જવાળામુખી ફાટવાને લીધે બન્યું હતું. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે લોકોને બચાવવા માટે 20 બચાવકર્મી તૈનાત કરાયા છે. મળતી માહિતી અનુસાર, ઈન્ડોનેશિયાની એક સંસ્થાએ જવાળામુખીના ખતરાને લીધે લેવલ ચારની ચેતવણી જાહેર કરી છે.
આ સિવાય જવાળામુખી પાસે છ કિલોમીટરના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાની જિયોલોજિકલ એજન્સી અનુસાર રૂઆંગ જવાળામુખી ફાટયા પછી આકાશમાં બે કિલોમીટર સુધી રાખનો ધૂમાડો ઉડયો હતો. બીજા વિસ્ફોટ પછી આ ઉંચાઈ અઢી કિલોમીટર સુધી થઈ હતી.


