- રાજકોટ અગ્રિકાંડ બાદ AMC તંત્ર સફાળે જાગ્યું
- ફાયર સેફટીના નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી
- ફાયર સેફટી, નિયમ વિરુદ્ધના બાંધકામ પર તવાઈ
અગ્રિકાંડ બાદ 9માં દિવસે અમદાવાદ ફાયર વિભાગની એનઓસી અને ફાયરના સાધનોને લઈ કાર્યવાહી યથાવત છે.ઘોડાસરમાં ફાયર સેફ્ટીના અભાવે કોમ્પ્લેક્સ સિલ કરી દેવામાં આવ્યું છે.ઝુડીયો,ક્રોમા, હોસ્પિટલ, એજ્યુકેશન એકેડમીમાં ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનો ન હોવાથી મનપાએ સિલ મારી દીધુ છે.
78 એકમો સિલ કરાયા
રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાએ વિવિધ એકમોમાં ફાયર સેફ્ટી, NOC સહિતના મુદ્દાઓ પર તપાસની ઝૂંબેશ હાથધરી છે. શનિવારથી શરૂ થયેલી મનપાની કામગીરી હજુ યથવાત છે.અત્યાર સુધીમાં મનપાએ કુલ 476 એકમોમાં તપાસ કરી છે.જેમાં અત્યાર સુધી કુલ 78 એકમો સિલ કરવામાં આવ્યા છે.
કાર્યવાહી યથાવત રહેશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 232 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 26 એકમો સિલ કરાયા છે. 8 ટ્યુશન ક્લાસિસ,12 હોસ્પિટલ, 4 પાર્ટી પ્લોટ અને 2 હોટેલ સિલ કરવામાં આવી છે. આગામી સમયમાં પણ મનપાની આ ઝૂંબેશ યથાવત રહેશે. AMCના ટેપ્યુટી કમિશનરે કહ્યું કે ફાયર સેફ્ટી, NOC અને બીયુ પરમિશન મુદ્દે ચકાસણી થતી રહેશે.જો કોઈ ક્ષત્રિ સામે આવશે તો એકમો સામે કાર્યવાહી કરાશે.
73 વર્ષ જુની હોસ્પિટલ સિલ
ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે દોડતા થયેલા અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તથા ફાયર એન.ઓ.સી.મેળવી નહી હોવાની નોટીસ આપી રિલીફ રોડ ઉપર 73 વર્ષ જૂના બિલ્ડિંગમાં ચાલતી હોસ્પિટલ સિલ કરી દેવામાં આવી છે.


