- ગાંધીધામના બાળકનું સારવાર દરમિયાન મોત
- અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થયા
- જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા
કચ્છમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે. જેમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લીધો છે. ગાંધીધામના બાળકનું સારવાર દરમિયાન મોત થયુ છે. અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થયા છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા છે. તેમજ કચ્છમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકનો ભોગ લીધો છે.
ગાંધીધામના બાળકનું સારવાર દરમિયાન મોત થયુ
ગાંધીધામના બાળકનું સારવાર દરમિયાન મોત થયુ છે. ભુજની હોસ્પિટલમાં બાળકનું મોત થતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. અત્યાર સુધીમાં ત્રણ બાળકોના મોત થયા છે. કચ્છ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના આઠ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના હમણાં 157 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતના 68 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે 59 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સાબરકાંઠમાં 17, અરવલ્લીમાં 8, મહિસાગરમાં 3 કેસ, ખેડામાં 7 કેસ, મહેસાણામાં 9 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરેન્દ્રનગરમાં 5 કેસ સહિતનો સમાવેશ થાય છે.
પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા
રાજ્યમાં 157 કેસ પૈકી સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 4, મહિસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણા અને રાજકોટમાં 4-4, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ગાંધીનગરમાં 3, પંચમહાલમાં 7, જામનગરમાં 3, મોરબીમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 3, વડોદરામાં 2, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશન દેવભૂમિ દ્વારકામાં 1-1, કચ્છમાં 3, સુરત કોર્પોરેશન, ભરુચ, જામનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, પાટણ સહિત કુલ 68 દર્દીઓના મોત થયા છે.


