- હુમલાના બાદ છેલ્લા 2 દિવસમાં ઘણું બદલાયું છે
- શેખ હસીના નિશ્ચિત રીતે બાંગ્લાદેશ પરત ફરશેઃ સજીદ
- સજીદ વાજેદે પાકિસ્તાન પર લગાવ્યો મોટો આરોપ
સોમવારે બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. જેના કારણે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને સાથે દેશ છોડીને ભાગ્યા. હવે સવાલ એ છે કે વચગાળાની સરકારના શપથ લેવાઈ ચૂક્યા છે અને પ્રદર્શનકારીઓનો ગુસ્સો પણ શાંત છે તો શું શેખ હસીના હવે ફરીથી બાંગ્લાદેશ પરત ફરશે? તેમના દીકરા સજીદ વાજેદે તેને લઈને નિવેદન આપ્યું છે.
શેખ હસીના પરત ફરશેઃ સજીદ વાઝેદ
દીકરા સજીદ વાજેદે કહ્યું કે બાંગ્લાદેશની પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના ફરી વતન પરત ફરી છે. લોકતંત્ર સામાન્ય થયા બાદ તે બાંગ્લાદેશ આવશે. તેઓએ એમ પણ કહ્યું કે હજુ સુધી એ નક્કી થયું નથી કે તે રાજનેતાના રૂપમાં આવશે કે સક્રિય નેતાના રૂપમાં. એક દિવસ પહેલા તેઓએ કહ્યું હતું કે તે બાંગ્લાદેશ પરત નહીં આવે.
પોતાના લોકોને કરશે સુરક્ષિતઃ સજીદ વાજેદ
શેખ હસીનાના દીકરા સજીદ વાજેદ જોયે આગળ કહ્યું કે દેશભરમાં તેમની પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર સતત હુમલાના બાદ છેલ્લા 2 દિવસમાં ઘણું બદલાયું છે. હવે તે પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે જે પણ કરવાનું હશે તે કરશે. તેઓ તેમને એકલા નહીં મૂકે. બાંગ્લાદેશની સૌથી મોટી અને જૂની રાજકીય પાર્ટી છે. એવામાં તે પોતાના લોકોથી દૂર નહીં જઈ શકે. લોકતંત્ર સામાન્ય થયા બાદ શેખ હસીના નિશ્ચિત રીતે બાંગ્લાદેશ પરત ફરશે.
સજીદ વાજેદે પાકિસ્તાન પર લગાવ્યો મોટો આરોપ
તેઓએ પાકિસ્તાન પર આરોપ લગાવતા કહ્યું કે દેશમાં અશાંતિને વધારો આપવા પાછળ આઈએસઆઈનો હાથ છે. તેમને વિશ્વાસ છે કે પાકિસ્તાનની અને સોશિયલ મીડિયાના માધ્યમથી સ્થિતિને ભડકાવવાના પ્રયાસ કરાયા હતા. બાંગ્લાદેશમાં હિંસા ભડકતા શેખ હસીના દેશ છોડીને ભારત જતા રહ્યા હતા. સોમવારે ગાઝિયાબાદમાં હિંડન એરબેસ પર ઉતરી હતી. આ પછી તેમને સુરક્ષિત સ્થાને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. સાથે નોબેલ પુરસ્સ્કાર વિજેતા મોહમ્મદ વચગાળાની સરકારના નેતૃત્વના શપથ પણ લઈ ચૂક્યા છે અને તેમની સાથે 16 સલાહકાર સભ્યોની ટીમ કામ કરશે.


