લંડન પ્રશાસન દ્વારા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને 2025 માટે ટેક્સ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે. તેના પર 10 મિલિયન પાઉન્ડનો કર બાકી હોવાનું સામે આવ્યુ છે. નવાઝ શરીફના પુત્ર હસન શરીફ પર આરોપ છે કે, તે જાણી જોઈને આ કર ચૂકવી રહ્યો નથી. તેમની બહેન મરિયમ નવાઝ પણ પાકિસ્તાનમાં મુખ્યમંત્રી છે. તેમની મિલકતની હરાજી કરવાની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.
ભૂતપૂર્વ પીએમના પુત્રની ગજબ બેઇજ્જતી
પિતા ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. કાકા વડા પ્રધાન છે અને પુત્ર હવે નાદાર થઈ ગયો છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝ મામલે ચર્ચાનો દૌર શરુ થયો છે. બ્રિટિશ સરકારે પાકિસ્તાનના વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના ભત્રીજા હસન નવાઝ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. લંડન પ્રશાસને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના પુત્ર હસન નવાઝને વર્ષ 2025 માટે ટેક્સ્ટ ડિફોલ્ટર જાહેર કર્યા છે. તેમની સામે નાદારીની કાર્યવાહી આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.
હસન નવાઝ પર આશરે 10 મિલિયન પાઉન્ડનો આવક વેરો બાકી છે. એવો આરોપ છે કે નવાઝ શરીફના પુત્ર હસન શરીફ જાણી જોઈને તે ચૂકવી રહ્યા નથી. તેમની બહેન મરિયમ નવાઝ પણ પાકિસ્તાનમાં મુખ્યમંત્રી છે. તેમની મિલકતની હરાજી કરવાની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે. આ મહિને લંડન પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી યાદીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાનના પુત્ર અને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફના ભત્રીજા હસન નવાઝ શરીફનું નામ સામેલ છે. એવું કહેવાય છે કે તેમના પર લગભગ 10 મિલિયનનો કર બાકી છે. આ સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે આ કર વર્ષ 2015-16થી પેન્ડિંગ છે અને હવે તેના પર લાદવામાં આવેલા દંડની રકમ લગભગ 10 મિલિયન પાઉન્ડ થઈ ગઈ છે.
હસન નવાઝ કેવી રીતે આવ્યા ચર્ચામાં ?
પનામા પેપર લીક કેસમાં હસન નવાઝનું નામ પણ સામે આવ્યું હતું. તેમાં, તેમના અને તેમના પરિવાર પર કાળા નાણાંમાંથી ગેરકાયદેસર મિલકત મેળવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી, હસન નવાઝ શરીફે લંડનમાં પોતાની એક મિલકત અલી રિયાઝ મલિક નામના પાકિસ્તાનીને 38 મિલિયન પાઉન્ડમાં વેચી દીધી. તે પોતે શંકાસ્પદ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે આ વ્યક્તિ શરીફ પરિવારના કાળા નાણાંને સફેદ કરવાનું કામ કરતો હતો. હસન નવાઝના નજીકના લોકો માને છે કે તેમણે બધા કર ચૂકવી દીધા હતા, પરંતુ જ્યારે તેમને વધુ આવકવેરો ભરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે તે ભરવાનો ઇનકાર કરી દીધો. આ લડાઈ યુનાઇટેડ કિંગડમના આવકવેરા વિભાગ દ્વારા હાઇકોર્ટમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સુનાવણી પછી, હાઇકોર્ટે હસન નવાઝને નાદાર જાહેર કર્યા હતા.
હસન નવાઝ વિરુદ્ધ કાર્યવાહી
હસન નવાઝ વિરુદ્ધ યુકેના આવકવેરા વિભાગ દ્વારા 25 ઓગસ્ટ, 2023 ના રોજ કેસ નંબર 694/2023 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેના પોતાના નિર્ણયમાં, યુકે હાઈકોર્ટે હસન નવાઝને નાદાર જાહેર કર્યા હતા. એપ્રિલ 2025 માં, તેમની સામે નાદાર જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આવકવેરા વિભાગ તેમની પાસે રહેલી મિલકત વેચીને દંડ વસૂલ કરી શકે છે.


