કિર્ગિસ્તાન સરકારે સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે દાવો કર્યો છે કે, ઉપદ્રવિયો દ્વારા નકાબનો દુરોપયોગ કરવામાં આવી શકે છે. મુસ્લિમ વહીવટી મુફ્તિઓએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યુ છે. કિર્ગિસ્તાનમાં 90 ટકા મુસ્લિમો રહે છે. સરકારે લાદેલા પ્રતિબંધનું જો કોઇ ઉલ્લંઘન કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે. મુફ્તિઓએ જણાવ્યુ છે કે, મહિલાઓ શરીર અને ચહેરાને ઢાંકી શકે તેવા નકાબ નહીં પહેરી શેકે.
મહિલાઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ
મુસ્લિમ દેશ કિર્ગિસ્તાનમાં સરકારે ચોંકાવનારો નિર્ણય કર્યો છે. કિર્ગિસ્તાનની સરકારે જણાવ્યુ છે. નકાબ પહેરીને આતંકીઓ હુમલાની ઘટનાને અંજામ આપી શકે છે. જેના કારણે મહિલાઓ સંપૂર્ણ નકાબ પહેરીને રસ્તાઓ પર ન આવે. જેમાં સુરક્ષાને મોટો ખતરો હોઇ શકે છે. જો કોઇ આ નિયમો તોડશે તો તેને દંડ ફટકારવામાં આવશે. મુફ્તિઓએ પણ આ નિર્ણયને મંજૂરી આપી છે. અને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે.
શરિયા કાયદાનો પણ કરાયો ઉલ્લેખ
મુફ્તિઓએ કહ્યુ છે કે, શરિયા કાયદામાં માથાથી લઇને સંપૂર્ણ શરીરને ઢાંકવાનો કોઇ નિયમ નથી. જેથી આવા નિર્ણયો વિરુદ્ધ કોઇ ફતવો જાહેર કરાશે નહી. તમામ લોકો સરકારના આ નિર્ણયને સ્વીકારી લે. મુફ્તિઓએ જણાવ્યુ છે કે, સરકારે સુરક્ષા કારણોસર આ નિર્ણય જાહેર કર્યો છે. સરકારે સુરક્ષા વધારવા માટે બુરખા અને હિજાબ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો આવું ન કરવામાં આવે તો અપરાધ વધી શકે છે. બુરખા અંગેના આ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ જેલની સજા અને 20 હજારના દંડની જોગવાઈ છે. જાન્યુઆરી 2025માં સરકારે આ કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. દેશના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે માસ્ક પહેરનારાઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરીને કાર્યવાહી કરવામાં આવશે. કિર્ગિસ્તાનની 90 ટકા વસ્તી મુસ્લિમ છે. અહીં સુન્ની મુસ્લિમોની સંખ્યા વધુ છે. મુસ્લિમો પછી ખ્રિસ્તી ધર્મના લોકો અહીં રહે છે.


