ટ્રમ્પ પ્રશાસન દ્વારા 2 એપ્રિલથી તમામ દેશોમાં લાગુ પરડનારા આયાત પર લગાવવામાં આવેલા 10 ટકા બેઝલાઈન ટેરિફનું ભવિષ્ય હવે ભારત-અમેરિકાની વેપાર સંઘિની શરૂઆતની રૂપરેખા નક્કી કરવાનું કેન્દ્રબીંદુ બની ગયું છે. મળતી માહિતી પ્રમાણે નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
ભારતે અમેરિકા પાસે કરી ટેરિફ હટાવવાની માંગ
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભારતે પાકિસ્તાન પાસે માંગ કરી છે કે 10 ટકા ટેરિફ હટાવવાની સાથે 9 જૂલાઈથી 16 ટકા વધારાનો ચાર્જ પર લાગૂ ન કરવામાં આવે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે જો અમેરિકા આ ચાર્જ નહીં હટાવે તો તેને પણ અમેરિકાની વસ્તુઓ પર સરખી માત્રામાં ટેરીફ લગાવવાનો અધિકાર રહેશે.
દિલ્હીમાં ચાલી રહી છે વાતચીત
4 જૂને અમેરિકાના વ્યપાર પ્રતિનિધિ બ્રેંડન લિંચના નેતૃત્વમાં એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દિલ્હી પહોંચ્યું હતું. આ બંને દેશો વચ્ચે આ મુદ્દા પર પાંચમી વખત આમનો-સામનો થશે. આ ટીમ હવે 10 જૂન સુધી દિલ્હીમાં રહેશે. જો કે પહેલા તેમને પ્રવાસ ફક્ત બે દિવસનો જ હતો.
ટેરિફ બંને તરફથી હટવું જોઈએ.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે આદર્શ સ્થિતિ એજ છે કે જે પણ કંઈ અંતિમ નિર્ણય લેવાય તેમાં ભારતની વસ્તુઓ પર લાગુ કરવામાં આવેલ 10 ટકા બેઝલાઈન ટેરિફ અને 9 જૂલાઈથી લાગૂ થનાર ચાર્જ બંને એકસાથે હટાવવામાં આવે, નહીંતર ભારત પણ પોતાનો 26 ટકા ટેરિફ ચાલુ રાખશે.