ઇઝરાયલે ઇરાન પર મોટો હુમલો કરી દીધો છે. ઇઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાનમાં ભારે બોમ્બવર્ષા કરી છે. આ સિવાય ઇઝરાયલે ઇરાની આર્મી ઠેકાણાઓને અને ન્યુક્લિયર ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.
ઇઝરાયલે વહેલી સવારે આ હુમલો કર્યો હતો
ઇઝરાયલે વહેલી સવારે આ હુમલો કર્યો હતો ઇરાની મીડિયાએ જણાવ્યુ કે તેહરાનમાં વિસ્ફોટના અવાજો અને ધણધણાટી હજુ પણ સંભળાઇ રહી છે. ઇઝરાયલે કહ્યુ કે તેહરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાની આશંકાને લઇને કટોકટીની સ્થિતિની ઘોષણા કરી દીધી છે. ઇઝરાયલના એક સૈન્ય અધિકારીએ કહ્યુ કે ઇઝરાયલમાં અનેક પરમાણુ અને સૈન્યને ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.
ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ કહ્યુ કે ઇઝરાયલે ઇરાનના પરમાણુ બોમ્બ બનાવી રહેલા વૈજ્ઞાનિકો પર હુમલો કરી દીધો છે.
ઇરાને પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા
પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ કહ્યુ કે અને નતાંજમાં ઇરાનના મુખ્ય ન્યુક્લિયર પ્લાન્ટને નિશાન બનાવ્યો. અમે ઇરાની બોમ્બ બનાવવા પર કામ કરી રહેલ પ્રમુખ ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા. અમે ઇરાની બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ કેન્દ્ર પર જ હુમલો કર્યો. નેતન્યાહૂએ આના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા માટે તેમનો ધન્યવાદ કરી રહ્યો છુ.
હવે કાર્યવાહી નહી કરીએ તો આગામી પેઢી નહી બચે
નેતન્યાહૂએ કહ્યુ કે હવે સ્થિતિ ખુબ ભયંકર બની છે. જ્યા સુધી જરૂરી લાગશે અમે લડતા રહીશુ, જો અમે કાર્યવાહી નહી કરીએ તો આગામી પેઢી સુખનો સુરજ નહી જોઇ શકે.