રાજકોટ: રાજકોટનું નવનિર્મિત હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે એક નવીન અને મહત્ત્વપૂર્ણ પહેલ શરૂ કરી રહ્યું છે. એરપોર્ટ પર આવતા યાત્રીઓની અસુવિધા અને સેવાઓની ગુણવત્તા અંગેની ફરિયાદોને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા હેઠળ, હીરાસર એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા હવે દરરોજ 30 મુસાફરો પાસેથી એરપોર્ટની સેવાઓ અંગે ફીડબેક લેવામાં આવશે.
હીરાસર એરપોર્ટનો નવીન પ્રયોગ
મહત્વનું છે કે, આ ફીડબેક પ્રક્રિયામાં યાત્રીઓને એરપોર્ટ પર ઉપલબ્ધ વાઇફાઇ સહિતની વિવિધ સેવાઓ અને સુવિધાઓ અંગે તેમના સૂચનો અને અનુભવો પૂછવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોની જરૂરિયાતોને સીધી રીતે સમજીને એરપોર્ટની સેવાઓમાં તાત્કાલિક સુધારો કરવાનો છે. એરપોર્ટ મેનેજમેન્ટ માને છે કે નિયમિત ફીડબેક દ્વારા જે અસુવિધાઓની ફરિયાદો સતત મળી રહી છે, તેને ઝડપથી દૂર કરી શકાશે અને મુસાફરીનો અનુભવ વધુ સંતોષકારક બનાવી શકાશે. આ પગલું હીરાસર એરપોર્ટને મુસાફરલક્ષી સુવિધાઓ પૂરી પાડવા માટે સજ્જ કરશે.
આ પણ વાંચો : Navsari News : બનાવટ સામે તંત્ર સક્રિય, નવો બનેલો રોડ ઉખેડીને ગુણવત્તાની તપાસ, કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો


