By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 day ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    2 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    4 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડતાલના બે સંતો વચ્ચે ગુરૂ પરંપરા અને અક્ષરમૂર્તિ બાબતે સર્જાયો વિવાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

વડતાલના બે સંતો વચ્ચે ગુરૂ પરંપરા અને અક્ષરમૂર્તિ બાબતે સર્જાયો વિવાદ

Editor
Last updated: 2025/12/27 at 5:01 PM
4 months ago
Share
વડતાલના બે સંતો વચ્ચે ગુરૂ પરંપરા અને અક્ષરમૂર્તિ બાબતે સર્જાયો વિવાદ
SHARE

મુકત મુનિ મહોત્સવ દરમિયાન જાહેર મંચ પર આમને-સામને આવતા સંપ્રદાયમાં ભૂકંપ સર્જાયો

 સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિવાદ સામે આવ્યો છે. વડતાલ તાબાના બે વિદ્વાન સંતો-ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્યસ્વરૂપ સ્વામી-લોયાધામ ખાતે ચાલી રહેલા મુક્ત મુનિ મહોત્સવ દરમિયાન જાહેર મંચ ઉપર આમને સામને આવી ગયા હતા. ગુરુપરંપરા, અક્ષરમૂર્તિ અને સંતોની મહિમાને લઈને થયેલા આ વાદવિવાદે સંપ્રદાયમાં મોટો ભૂકંપ સર્જ્યો છે.

લોયાધામ ખાતે છેલ્લા એક મહિનાથી મુક્ત મુનિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેની પૂર્ણાહુતિ 31 ડિસેમ્બરે થવાની છે. આ મહોત્સવના આયોજક ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે, જ્યારે નિત્યસ્વરૂપ સ્વામી વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત થયા હતા. વ્યાખ્યાન દરમિયાન નિત્યસ્વરૂપ સ્વામીએ ગુરુનિષ્ઠા, સાધુતાની મહત્તા અને અક્ષરમૂર્તિના વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા. તેમણે કહ્યું કે “મારા ઈષ્ટદેવ કે મારા ગુરુદેવ વિશે હું જરાય સાંભળી શકતો નથી, મારી એ તાકાત નથી,” તેમજ “કોઈના પ્રસંગમાં જઈએ ત્યારે આવી રીતે વર્તન ન કરવું.”

આ નિવેદન બાદ ઘનશ્યામ પ્રકાશ સ્વામી દ્વારા મંચ પરથી જ પ્રતિક્રિયા આપવામાં આવી, જેમાં તેમણે નિત્યસ્વરૂપ સ્વામીને “બેટા” કહી સંબોધન કર્યું અને જૂનાગઢ તથા વડતાલ પરંપરાના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કર્યો. અક્ષરમૂર્તિ તરીકે કોણ માન્ય છે, ગુણાતિત સ્વામી અને ગોપાળાનંદ સ્વામી અંગેના મતભેદો ખુલ્લેઆમ મંચ પરથી વ્યક્ત થયા. આ ચર્ચા તું-તારીના સ્તર સુધી પહોંચી જતા કાર્યક્રમની ગરિમા પર પણ સવાલ ઊભા થયા.

વિવાદ અહીં અટક્યો નહીં. નિત્યસ્વરૂપ સ્વામી મહોત્સવમાંથી નીકળી ગયા બાદ બીજા અને ત્રીજા દિવસે ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ ફરીથી જાહેર મંચ પરથી નિવેદન આપ્યા. તેમણે નિત્યસ્વરૂપ સ્વામી પર “બુદ્ધિ ભ્રષ્ટ” કરવાની ગંભીર ટિપ્પણી કરી અને કહ્યું કે તેમના નિવેદનોથી હરિભક્તોમાં ગેરસમજ ફેલાઈ રહી છે. આ નિવેદનો દરમિયાન મંચ પર સંતો, હરિભક્તો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા, જેમાંથી કેટલાકે તાળીઓ વગાડી સમર્થન પણ આપ્યું.

એક જ તાબાના બે સંતો વચ્ચે આ પ્રકારની જાહેર ટકરાવથી સ્વામિનારાયણ(Swaminarayan) સંપ્રદાયની અંદર વર્ચસ્વની લડાઈ ખુલ્લેઆમ સામે આવી છે. ધર્મ, સાધુતા અને ગુરુપરંપરા જેવા વિષયો પર ચર્ચા થવી સ્વાભાવિક છે, પરંતુ જાહેર મહોત્સવના મંચ પરથી વ્યક્તિગત આક્ષેપો અને કઠોર શબ્દપ્રયોગ થવાથી સંપ્રદાયની એકતા અને મર્યાદા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

હાલ આ વિવાદ કયા વળાંક લે છે અને સંપ્રદાયના વરિષ્ઠો અથવા સંસ્થાગત સ્તરે કોઈ સમાધાનની કોશિશ થાય છે કે નહીં, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ લોયાધામમહોત્સવ દરમિયાન થયેલી આ ઘટનાએ સ્વામિનારાયણ(Swaminarayan) સંપ્રદાયમાં ચર્ચા અને ચિંતા બંને વધારી દીધી છે.

You Might Also Like

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૧૫૦૦નો વધારો ઝીંકાયો

લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ

અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં

કાળિયાર, હરણ, નીલગાય અને વરૂની આવતીકાલથી ગણતરી શરૂ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત
ગુજરાત

અમરેલીના ગાવડકા રોડ પર એસટી અને કાર વચ્ચે અકસ્માત: ૨ ના મોત

Editor By Editor 2 days ago
શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ
ભારતીય મઝદૂર સંઘના હસુભાઇ દવેનું ગુજરાત ગરીમા એવોર્ડથી સન્માન કરાયું
૫૦થી વધારે મુસાફરો ભરેલી સરકારી બસ રોંગ સાઇડમાં ખાઇમાં ખાબકી
 ‘વિઝન ૨૦3૦’ માટે રાજય સરકારની કાલથી ચિંતન શિબિર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?