રાજકોટ મશીનરી ડીલર્સ એસો.નો વિવિધ પ્રશ્ને નાણામંત્રીને પત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મશીનરી ડીલર્સ એસોસિએશન વેપાર-ઉદ્યોગને લગતા ર૦ મુદાઓ આગામી બજેટમાં સમાવવા એસો.ના પૂર્વપ્રમુખ મનસુખભાઇ પટેલ હાલના પ્રમુખ જયંતીભાઇ ટીલવા અને માનદ મંત્રી અશ્વિનભાઇ પટેલે રજુઆત કરી છે.
નાણામંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, કેન્દ્રીય સરકારના ર૦ર૬-ર૭ વર્ષનું અંદાજપત્ર ટુંક સમયમાં લોકસભામાં રજુ થવાનું છે. તેમાં વેપાર ઉદ્યોગના પ્રશ્નોનો યોગ્ય સમાવેશ કરવા આમ આદમીને કંઇક રાહત મલે તેવી માંગણી છે.
નાણાં મંત્રાલય હેઠળ મહેસુલ વિભાગે એક પરીપત્ર ઇશ્યુ કર્યો છે. તેમાં વેપાર ઉદ્યોગ સંગઠનોને ટેક્ષ માળખામાં બદલાવ વિ.સુચનો આપવા કહેવામાં આવ્યું છે. તે બાબતના સુચનો અને અભિપ્રાય તેમજ કરમાળખા ઉપરાંત ટેક્ષ રેઇટમાં ફેરફાર તથા વધુ લોકોને ટેક્ષના દાયરામાં આવરી લેવા કરજાળ વસ્તારવા વિશે પણ સરકાર તરફથી સુચનો મંગાવવામાં આવેલ છે.
આવકવેરો ભરતા કરદાતાઓને સાત વર્ષથી પ્રતિક્ષા કરાવ્યા બાદ આઠમાં અંદાજપત્રમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામનજી મનમુકીને વરસ્યા હતા. અમૃતકાળમાં અંદાજપત્રમાં કરદાતાઓ પંચામૃત આપેલ છે. આવકવેરાની પ્રવર્તમાન નવી જોગવાઇઓમાં શ્રેણીબધ્ધ સુધારા કરીને તેને વધુ આકર્ષક બનાવાઇ છે.
કોર્પોરેટ બોડીના ટેક્ષમાં અગાઉના વર્ષમાં હજારો રૂપીયાની રાહત કોર્પોરેટ ગૃહને આપી જેના પ્રમાણમાં નાના કરદાતાઓને તેના સપ્રમાણ રાહત મલી નથી. ટેક્ષ સ્લેબમાં રેશનલાઇઝેશન તેમજ આવકવેરા રીબેટ માટે રૂ.સાત લાખથી રૂ. બાર લાખની કરપાત્ર આવક મર્યાદાના સુધારાને નવી યોજનામાં આવક મર્યાદામાં સુધારાએ નવી યોજનામાં આવક મર્યાદામાં સુધારાએ નવી યોજનામાં નવો પ્રાણ પુર્યો છે.
પરંતુ સીનીયર સીટીઝનને પણ આપે ઓર્ડીનરી કરદાતાના સ્લેબમાં લાવી દીધા છે. સીનીયર સીટીઝનો ઓર્ડીનરી કરદાતા કરતા કંઇક વધારે લાભ મળવો જોઇએ. તે આપવામાં આવેલ નથી. અગાઉ તેને અમુક રકમનો વધારાનો લાભ મળતો હતો તે આપે પરત ખેચી લીધો છે. તેઓને કંઇક વધારાનો લાભ આપવા જરૂરી છે.
સુપર સીનીયર સીટીઝનને વર્ષોથી કોઇસ વધારાનો લાભ આપવામાં આવતો નથી. જેની મુકિત મર્યાદા વર્ષોથી પાંચ લાખની હતી. તે પણ આપી છીનવી લીધી છે અને ઓર્ડીનરી કરદાતા સ્લેબમાં મુકી દીધા છે. ઓર્ડીનરી કરદાતા માટે નવી સ્કીમ હેઠળ બાર લાખ સુધીની મુકિત મર્યાદા કરી આપેલ છે. તો સુપર સીનીયર સીટીઝન ૮૦ વર્ષ ઉપરનાને મુકતી મર્યાદાનો લાભ આપવામાં આવેલ નથી. પાંચ લાખ બાદ અગાઉ મળતા હતા તે પણ આપે પરત ખેચી લીધા છે. તેમ તેઓ ઓર્ડીનરી કરદાતાની હરોળમાં આવી ગયા છે.
કરપાત્ર ૮૦ વર્ષ ઉપરના સીનીયર સીટઝનની સંખ્યા આખા દેશમાં નહીવત જેવી હોય તો તેઓ જીંદગીના છેલ્લા દિવસો ગણતા હોય ત્યારે તેવા સભ્યોને કદાચ થોડો વધારે લાભ મળે તો સરકારને આમા કાઇ ફરક પડશે નહીં. મહીલાઓ માટે અલગ કોઇ મુકતી મર્યાદા નથી. અગાઉના વર્ષોમાં તેમને અમુક રકમની છુટછાટ મળતી હતી. તે બંધ થઇ ગયેલ છે. તો હવે નવેસરથી તેમને કોઇ વધારે લાભ મળે તેવી જોગવાઇ કરવા ખાસ વિનંતી.
વિદેશમાં સીનીયર અને સુપર સીનીયર સીટીઝનને તબીબી સેવા વિના મુલ્યે લાભ આપવામાં આવે છે. જે ભારતમાં ગયા વર્ષથી ૭૦ વર્ષ ઉપરનાને તે લાભ આપવાનું નકકી કરેલ છે. તે ખુબજ આવકારદાયક છે. આ સગવડતાનો લાભ દરેક સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં મલે તેવી જોગવાઇ કરી આપવી જોઇએ.
ગયા વર્ષે આવકવેરાની યોજના ખુબજ આકર્ષક બનાવી છે અને ટેક્ષ સ્લેબમાં રેશનલાઇઝેશન તેમજ આવકવેરા રીબેટ માટે રૂ.સાત લાખથી બાર લાખ કરી આપેલ છે. તે ખુબ જ આવકારદાયક છે. પરંતુ નાના કરદાતા માટે હજી પણ આવકવેરાના સ્લેબમાં કંઇક વધારો કરવામાં આવે તેવી નાના કરદાતાઓની માંગણી છે.


