પંચનાથ હોસ્પિટલને પ વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે જનરલ વોર્ડ વિનામુલ્યે સેવા અર્પણ
જનરલ વોર્ડમાં તા.૨૧થી દાખલ થનારને વિનામુલ્યે સેવા આપવામાં આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી પંચનાથ ટ્રસ્ટ દ્વારા તા.૨૦/૧/૨૦૨૬ ના રોજ જનરલ વોર્ડ વિનામૂલ્યે સેવા અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રમેશભાઈ ઓઝાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આ આયોજન થયુ હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ટ્રસ્ટી ડી.વી મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતું. સ્વાગત પ્રવચન પ્રમુખ દેવાંગ માંકડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સંસ્થાને શુભેચ્છા પાઠવી તેમજ સહકારની ખાત્રી આપી હતી. પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા દૃારા પંચનાથ ટ્રસ્ટ દૃારા ચલાવવામાં આવતી હોસ્પિટલ ના રાહતદરો ની નોંધ લીધી હતી અને આ સેવાનો વિકાસ થતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારુ RNSBના ચેરમેન દિનેશભાઈ પાઠક, કિશનભાઈ કોટેચા, અજયભાઈ બગડાઈ, અચ્યુતભાઈ જસાણી, પ્રફુલભાઈ ગંગ્દેવ, દર્શનભાઈ નંદાણી, હેતલભાઈ રાજ્યગુરુ, મીતભાઈ ભટ્ટ, મૌલીકભાઈ રવાણી, પરસોતમભાઈ પીપળીયા, સૌરીનભાઈ વોરા અને હર્ષદભાઈ અદાણી અને વિરેનભાઈ શેઠ, શેતૂરભાઈ દેસાઇ, ઇબ્રાહિંભાઈ સોની તથા રસિકભાઈ બદ્રકીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. હોસ્પિટલના જનરલ વોર્ડને નિ:શુલ્ક સેવા માટે ખુલ્લો મુક્તિ વખતે રમેશભાઇ ઓજાએ આશીર્વચન આપતા જણાવ્યું હતુ કે જયારે જયારે હું અહી આવુ છુ ત્યારે આ સેવા કાર્ય જોઈને મને ખુબ આનંદ થાય છે.
આ ઉપરાંત ટ્રસ્ટના આર્કિટેકટ કિશોરભાઈ ત્રિવેદી, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર મનીષભાઈ દોશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓમાં સર્વ અનિલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, નીરજભાઈ પાઠક, સંદીપભાઈ ડોડીયા, મહેન્દ્રસિંહ ગોહેલ, નારણભાઈ લાલકીયા, નીતિનભાઈ મણીયાર અને શ્રી નિખીલભાઈ મહેતા ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ માટે સેક્રેટરી મયુરભાઈ શાહ, ડો. રવિરાજ ગુજરાતી એ જહેમત ઉઠાવી હતી.


