ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસે લઘુમતી મોરચા દ્વારા આંગણવાડીના બહેનોને પોષ્ટિક કીટનું વિતરણ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે તેમના સુસ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના સાથે રાજકોટ શહેર લઘુમતી મોરચા દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે શહેરના વોર્ડ નં. ૨ માં આવેલી આંગણવાડીની સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ નાહિનભાઈ કાઝી, પ્રદેશ મંત્રી રાજુભાઈ દલવાણી તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને મહામંત્રીઓ વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા તથા યોગેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
રાજકોટ શહેર લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહિમભાઈ સોની, મહામંત્રી ફિરોઝભાઈ ડેલા અને અમીનભાઈ સમાની આગેવાની હેઠળ વોર્ડ નં. ૨ ના બજરંગવાડી વિસ્તારમાં આવેલી શાળા નં. ૫૯ ની આંગણવાડી નં. ૩૨ માં નોંધાયેલ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નિરોગી તેમજ લાંબા આયુષ્ય માટે ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી રાજુભાઈ દલવાણી, વોર્ડ નં. ૨ ના મહામંત્રી હર્ષવર્ધનસિંહ કહોર, સ્થાનિક કોર્પોરેટર ડો. શૈલેષભાઈ વસાણી, દક્ષાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લઘુમતી મોરચાના હોદ્દેદારો સેહનાવઝભાઈ સિદ્દકી, સુલતાનભાઈ સુમરા, યાસિનભાઈ મીર, ફારૂકભાઈ કટારિયા, અલતાફભાઈ શેખ, હુસ્સૈનભાઈ અંસારી, હુસૈનભાઈ સૈયદ, ફરદીનભાઈ બ્લોચ, મુન્નાભાઈ સજ્જા તેમજ ભાજપ કાર્યકર નિતિનભાઈ વાઘેલા અને ઘનશ્યામભાઈ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


