ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી
૫૦૦ બ્રહ્મ પરિવારોને લાડુ પ્રસાદીનનું ઘેર ઘેર વિતરણ કરાયું આરતી પૂજન કરાયું
અગ્ર ગુજરાત, ધોરાજી
અક્ષય તૃતીયા અને ભૂદેવોના આરાધ્ય દેવ પરશુરામ જયંતી પ્રસંગે ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતી ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગત રોજ બ્રહ્મ સમાજ ની નાની વાડી ખાતે વિદ્વાન વિપ્ર અને આધ્યાત્મિક ગુરુ સંદીપભાઈ શુક્લ ની ઉપસ્થિતિમાં વેદોક્ત મંત્રોચાર સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ના ધોરાજીમાં વસવાટ કરતા ૫૦૦ જેટલા પરિવારો માટે શુધ્ધ ઘી ના લાડુ પ્રસાદ રૂપે બનાવવામાં આવ્યા હતા. પ્રતિવર્ષ પરશુરામ જયંતી નિમિતે બ્રહ્મ પરિવારના વંદિત ભાઈ શુક્લ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. બ્રહ્મ સમાજ ના ટ્રસ્ટી અને કાર્યકર્તાઓ દ્વારા લાડુના બોક્સ પેકિંગ કર્યા બાદ બ્રહ્મ પરિવારોને ઘરે ઘરે આ પ્રસાદી પહોંચાડવામાં આવે છે. ઉપરાંત ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ વાડી ખાતે ભગવાન પરશુરામ જી ની આરતી અને પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો.


