By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    10 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ

Editor
Last updated: 2026/05/30 at 3:01 PM
10 hours ago
Share
જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ
SHARE

ગીરમાં સિંહોના મોતથી રાજયભરમાં ઉચાટનો માહોલ

જંગલખાતુ એલર્ટ : ૨૦૦ કર્મચારીઓને ખડેપગે રખાયા, ૧૦ કિલોમીટરમાં સતત થતુ મોનિટરીંગ

રાજકોટ, જામનગર, કચ્છ, જૂનાગઢ અને સુરત જિલ્લામાંથી અનુભવી RFO , વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડને ગીરમાં તૈનાત કરાયા : પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો વનવિભાગ-સરકારનો દાવો

 

અગ્ર ગુજરાત, અમરેલી

ગીર વિસ્તારમાં સિંહબાળના મોતના મામલે વન વિભાગે હાઈ-એલર્ટ જાહેર કરી મોટા પાયે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો. જયપાલ સિંહે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવાની સાથે વેટરનરી ડોક્ટરોના સામૂહિક રાજીનામા અને વાયરસના સંક્રમણ અંગે ચાલી રહેલી અટકળો પર સત્તાવાર મૌન તોડ્યું છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 7 સિંહબાળના મોત નોંધાયા છે. સાવચેતીના ભાગરૂપે ગીરગઢડા અને બાબરકોટ વિસ્તારની ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં વિશેષ સર્વેલન્સ ગોઠવી 17 સિંહોને આઈસોલેટ (અલગ) કરવામાં આવ્યા છે. વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, આ તમામ સિંહો હાલ સ્વસ્થ છે અને તેમનામાં કોઈ ગંભીર સંક્રમણના લક્ષણો નથી.

તપાસ અને બચાવ કામગીરીને વેગ આપવા માટે જામનગર, સુરત, રાજકોટ, કચ્છ અને જૂનાગઢ સહિત પાંચ જિલ્લાઓમાંથી ગીરના ભૌગોલિક વિસ્તારથી વાકેફ હોય એવા 200 જેટલા અનુભવી RFO, વનપાલ અને ફોરેસ્ટ ગાર્ડને ગીરમાં તહેનાત કરી દેવાયા છે.

વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા લેવાયેલા સેમ્પલ ‘ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચ સેન્ટર’ (GBRC) ખાતે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આગામી 3થી 4 દિવસમાં આવી જશે.

 

વનવિભાગ પાસે બેક પ્લાન તૈયાર

વન વિભાગે જણાવ્યું છે કે, તેઓ રિલાયન્સના ‘વનતારા’ પ્રોજેક્ટની ટીમ સાથે સતત સંપર્કમાં છે. હાલમાં વનતારાની સીધી મદદ લેવાની જરૂર પડી નથી, પરંતુ જો ભવિષ્યમાં પરિસ્થિતિ વણસે તો દેશ-વિદેશના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમને બોલાવવા માટેનો બેકઅપ પ્લાન પણ વન વિભાગે તૈયાર રાખ્યો છે. હાલમાં 12 વેટરનરી ડોક્ટરો ગીરમાં 24 કલાક ફરજ બજાવી રહ્યા છે.

 

સિનિયર અધિકારી ભવાની પતિ ગીરમાં

ગીર પૂર્વમાં થયેલા સિંહોના મોત બાદ પ્રથમવખત PCCF પોતે મેદાનમાં ઉતરતા સમગ્ર વિભાગમાં ગંભીરતા વધી છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. વન વિભાગ હાલ સિંહોની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને આરોગ્ય પર સતત નજર રાખી રહ્યું છે. ખાસ કરીને કોઈ વાયરસજન્ય ચેપ અથવા સંક્રમણના સંકેતો મળે તો તરત સેમ્પલિંગ અને સારવારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. PCCF ભવાની પતીએ ધારી ગીર પૂર્વમાં આવેલ દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, ખાંભાના ભાણિયા સહિતના વિસ્તારોમાં સિંહબાળની વધુ ચકાસણી કરી હતી. તેમણે ધારીના આંબરડી સફારી પાર્કની હોસ્પિટલમાં પણ પહોંચીને તપાસ કરી હતી. આ ઉપરાંત, રાજુલાના ભેરાઈ-પીપાવાવ વિસ્તારમાં સિંહના ગ્રુપના તમામ વિસ્તારોમાં જાતે ચકાસણી કરવામાં આવી હતી.

 

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં 22 સિંહ દેખરેખમાં

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહના મોત થયા છે. ત્યારે કુલ 22 સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવાયું છે.

You Might Also Like

ગીરમાં સિંહો પર સંકટ? : મોતના સિલસિલા વચ્ચે વધુ 3 સિંહો જસાધાર હોસ્પિટલ લવાયા

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

અમરેલીમાં આપનું ડીઝલની અછત અને મોંઘવારી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર

અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર
રાજકોટ

રાજકોટથી લંડન સુધી BMW બાઈક પર ત્રણ મિત્રોની ધમાકેદાર સફર

Editor By Editor 9 hours ago
દેશમાં ટૂંક સમયમાં ફરશે પ્લાસ્ટીકની ચલણી નોટો
માતૃત્વ શરમાયું : સિવિલ હોસ્પિટલ ચોક પાસે માતાએ જ પુત્રી પર એસિડ ફેંક્યું
વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
સૌરાષ્ટ્ર યુનિ.ની લાલીયાવાડીનો જાલમુલી-મેલોડી આપી વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?