કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો
૨૦૦૦ સુધીમાં વેંચાયેલા બોકસની કિંમત રૂ.૮૦૦ થી ૧૧૦૦ સુધી પહોંચી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની પુરબહારમાં સિઝન શરુ થયેલ છે. એક જ દિવસમાં કેરીના 10 હજાર બોક્સની આવક થતા ભાવમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે. આગામી દિવસોમાં જેમ જેમ આવક વધશે તેમ ભાવમાં ઘટાડો થવાની વેપારીઓએ આશા વ્યક્ત કરી છે. ઓણસાલ માવઠાંથી કેરીના પાકને 20 ટકા નુકશાન થયું છે. તેમ છતાં કેરીની આવક મબલખ રહેવાની ધારણા છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના કેસર કેરીના હોલસેલ વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું કે, યાર્ડમાં કેસર કેરીના 10 હજાર બોક્સની આવક નોંધાઈ છે.કેરીના 10 કિલોના બોક્સના 800 થી 1100 રૂપિયા ભાવ રહ્યા હતા. અગાઉ જયારે કેરીની ધીમી આવત હતી ત્યારે કેરીના બોક્સ 1500 થી 2000 સુધી વેચાયા હતા.પરંતુ હવે ધીમે ધીમે આવક વધી છે અને આગામી દિવસોમાં 10 હજાર કરતા વધુ બોક્સની આવક થશે. ત્યારે કેરીના ભાવ હજુ ઘટવાની સંભાવના છે.આ વર્ષે કેસર કેરીના પાક ઉપર માવઠાની 20 ટકા અસર રહી છે છતાં કેરીની આવક યથાવત રહેશે.
કેસર કેરીના ઈજારદાર હીરાભાઈ વાઘેલાએ જણાવ્યું કે,તેમની પાસે 3000 કેરીના આંબાના ત્રણ બગીચા છે. આ વખતે કમોસમી વરસાદે કેરીના પાકને નુકશાન કર્યું છે પરંતુ ભાવમાં થોડા ઓછા વતા પ્રમાણમાં વધઘટ આવશે.જયારે કેસર કેરીના વેચાણનું કેન્દ્ર બિંદુ એટલે તાલાલા માર્કેટિંગ યાર્ડની છેલ્લા બે દિવસની સ્થિતિ પણ સારી છે.તાલાલા યાર્ડમાં 20 એપ્રિલે 4200 બોક્સ કેસર કેરીની આવક થયેલ હતી અને ભાવ જોઈએ તો સૌથી ઊંચા 1125 અને સરેરાશ 750 થી 350 રૂપિયા રહ્યા હતા.યાર્ડમાં 415 બોક્સની આવક સામે કેરીના ભાવ ઘટયા છે. સૌથી ઊંચા 1050 અને સરેરાશ 725થી 400 રૂપિયાએ કેરીનું બોક્સ વેચાયું હતું.


