જ્યોતિ CNC આયોજિત રક્તદાન કેમ્પમાં 336 બોટલો એકત્ર
38માં સ્થાપના દિવસની સેવાકાર્ય થકી ઉજવણી કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
જ્યોતિ CNCના 38માં સ્થાપના દિવસ નિમિતે યોજાયેલ રકતદાન કેમ્પમાં 336 બ્લડ બોટલ્સ એકત્રીત થયેલ હતું.
અત્યારના ઉનાળાના આકરા તાપમાં તેમજ વેકેશનના માહોલ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમજ જીવનદીપ બ્લડ બેંકમાં તમામ પ્રકારના બ્લડની સખત અછત રહેતી હોય ત્યારે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી, જ્યોતિ CNCના 38માં સ્થાપના દિવસ નિમિત્તે 336 બ્લડ બોટલ્સ એકત્રીત કરવામાં આવેલ. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી ૨૧૯ બ્લડ બોટલ્સ તેમજ જીવનદીપ બ્લડ બેંકને ૧૧૭ જેઓ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને વિનામુલ્યે બ્લડ આપે છે તેમને અર્પણ કરવામાં આવી છે. જ્યોતી સીએનસી દ્વારા ઘણા વર્ષોથી નિયમીત વર્ષમાં ત્રણ વખત રકતદાન કેમ્પનું આયોજન કરતા હોય છે. આ તકે જ્યોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, વિક્રમસિંહ રાણા, જ્યોતી સીએનસી પરિવાર, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ જહેમત ઉઠાવેલ છે.


