By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાંઢિયાપુલના ડાયવર્ઝનની અંધાધૂંધી સામે વકિલો મેદાને
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

સાંઢિયાપુલના ડાયવર્ઝનની અંધાધૂંધી સામે વકિલો મેદાને

agragujaratnews
Last updated: 2024/05/23 at 7:22 PM
2 years ago
Share
સાંઢિયાપુલના ડાયવર્ઝનની અંધાધૂંધી સામે વકિલો મેદાને
SHARE

કાં તો ભોમેશ્વર ફાટક પહોળુ કરો, કાં તો અયપ્પા મંદિર પાસે નવુ ફાટક બનાવીને ફોર-વ્હીલ માટે ડાયવર્ઝન કરવાની માગણી

રેલવે, સાંસદ, મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર અને ડિસ્ટ્રીક્ટ જજને અપાશે આવેદન, બાર એસોસિએશનની ખાસ મિટિંગ બોલાવવા નિર્ણય

રાજકોટના સાંઢિયાપુલનું કામ તો શરૂ કરી દેવામા આવ્યુ પણ ટ્રાફિકના ડાયવર્ઝનને લઇને જે અંધાધૂંધીનો સામનો હજારો લોકોને કરવો પડી રહ્યો છે તેમા વકિલ સમુદાયને પણ પ્રથમ દિવસે જ માથાફોડ યાતનાનો ભોગ બનવુ પડ્યુ હતુ. તમામ કોર્ટ શહેરની ભાગોળે ઘંટેશ્વર પાસે સ્થળાંતર થઇ ચુકી છે. અને મોટાભાગના વકિલો સિવિલ હોસ્પિટલ તરફથી જામનગર રોડ જાય છે. હાલ તો કોર્ટમાં વેકેશન છે પણ અમુક કોર્ટ ચાલુ છે. કોર્ટને લગતા કામ માટે વકિલોને નછૂટકે કોર્ટ બિલ્ડીંગ જવુ પડે છે ત્યારે ગઇકાલે ડાયવર્ઝનમાં જે અરાજકતા ફેલાઇ હતી તેનાથી ત્રાહીમામ પોકારી ગયેલા વકિલો મેદાનમાં આવ્યા છે. બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી પ્રથમ દિવસે દોઢ કલાક હેરાન થયા હતા. હજુ તો ત્રણ વર્ષ કાઢવાના છે. મહાનગરપાલિકા અને રેલવે તંત્ર ભલે એવો દાવો કરે કે બે વર્ષમાં કામ પુરુ થઇ જશે પણ શહેરમાં અત્યાર સુધી જેટલા બ્રિજ બન્યા છે તેમા શહેરીનોને થયેલા સ્વઅનુભવને જોતા સાંઢિયાપુલના ડાયવર્ઝનની પીડાદાયક યાતના ઓછામાં ઓછા ત્રણ વર્ષ તો ભોગવવી જ પડશે એ વાત નક્કી છે. ત્યારે સમસ્ત વકિલ સમુદાયની સાથે માધાપર ચોકડીથી સિવિલ હોસ્પિટલ તરફ અને શહેરના મધ્ય વિસ્તારમાં નિયમિત આવગમન કરતા શહેરના હજારો લોકોના હિત માટે બાર એસોસિએશને મેદાનમાં આવ્યુ છે. ટ્રાફિક ડાયવર્ઝનની આવી અણઘડ વ્યવસ્થા કોઇ કાળે ન ચાલે. કાં તો ભોમેશ્વર ફાટક પહોળુ કરો, કાં તો હજારો લોકોને ત્રણ વર્ષ સુધી આ કારમી યાતના ભોગવવી પડશે એ વાતને ધ્યાનમાં રાખીને ખર્ચની પરવાહ કર્યા વગર અયપ્પા મંદિર પાસે નવુ ફાટક બનાવીને ફોર વ્હીલ માટે નવા ડાયવર્ઝનનો વિકલ્પ ખુલ્લો કરવાની માગણી સાથે બાર એસોસિએશન મોરચો માંડશે. બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યુ હતુ કે, સુવ્યવસ્થિત ડાયવર્ઝન અને ટ્રાફિક મેનેજમેન્ટનો પ્રશ્ન પ્રશાસનનો છે. અને આ માટે પ્રશાસનને ઢંઢોળવા માટે બાર એસોસિએશન પરિણામલક્ષી લડત લડવા તૈયાર છે. સાંઢિયાપુલના ડાયવર્ઝનના પ્રશ્ને બાર એસોસિએશનની ખાસ મિટિંગ બોલાવવામા આવી છે. એકાદ-બે દિવસમાં જ રેલવે, મ્યુનિ. કમિશનર, પોલીસ કમિશનર, સાંસદ અને ડિસ્ટ્રીક્ટ જજને આવેદન આપવામા આવશે. મુખ્ય માંગણી એ જ રહેશે કે કાં તો ભોમેશ્વર ફાટક પહોળું કરવામા આવે, કાં તો પરસાણાનગર બાજુ અયપ્પા મંદિર પાસેથી બ્રિજની સમાંતર એક નવુ ફાટક બનાવીને ત્યાંથી ફોર વ્હીલ માટે નવા ડાયવર્ઝનનો વિકલ્પ ખોલવામા આવે.

Contents
કાં તો ભોમેશ્વર ફાટક પહોળુ કરો, કાં તો અયપ્પા મંદિર પાસે નવુ ફાટક બનાવીને ફોર-વ્હીલ માટે ડાયવર્ઝન કરવાની માગણીરેલવે, સાંસદ, મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર અને ડિસ્ટ્રીક્ટ જજને અપાશે આવેદન, બાર એસોસિએશનની ખાસ મિટિંગ બોલાવવા નિર્ણયપ્રથમ દિવસે જ અનેક જજને પણ થયો કારમો અનુભવનિયમિત પ્રેકટિશ કરનાર 3૮૦૦થી વધુ વકિલો, ૧૪૦૦ વકિલ મધ્ય વિસ્તારથી આવે છેઆ વિસ્તારમાં છે મોટાભાગના વકિલોની ઓફિસવકિલો માટે જ નહીં પણ હજારો શહેરીજનોના હિત માટે બાર એસો. લડશેપક્ષકારોની પણ થશે માઠી દશાબહારગામથી આવતા પક્ષકારો એસ.ટી. અથવા સિવિલ હોસ્પિટલ ચોક જ ઉતરે છેપેટ્રોલ પમ્પથી ભોમેશ્વર ફાટક, એરપોર્ટની દિવાલ સુધી દર ૫૦૦ મીટરે ટ્રાફિક પોલીસ મુકો

પ્રથમ દિવસે જ અનેક જજને પણ થયો કારમો અનુભવ

ડાયવર્ઝનનુ સુવ્યવસ્થિત આયોજન કર્યા વગર જ સાંઢિયાપુલ બંધ કરી દેવામા આવ્યો અને ટ્રાફિકની જે અંધાધૂંધી થઇ રહી છે તેનો પ્રથમ દિવસે જ અનેક જજને પણ કારમો અનુભવ થયો હતો. હાલ કોર્ટમાં વેકેશન ચાલુ છે. પણ અમુક કોર્ટ કાર્યવાહી ચાલુ હોય કોર્ટ સંકુલ જવા નીકળેલા કેટલાક ન્યાયધિશને પણ ભોમેશ્વર ફાટક પર થયેલી ટ્રાફિકની અફડાતફડીનો કારમો અનુભવ થયો હોવાનું બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીના ધ્યાનમાં આવ્યુ છે.

નિયમિત પ્રેકટિશ કરનાર 3૮૦૦થી વધુ વકિલો, ૧૪૦૦ વકિલ મધ્ય વિસ્તારથી આવે છે

રાજકોટમાં વકિલાતની નિયમિત પ્રેકટિસ કરતા હોય તેવા 3૮૦૦થી વધુ વકિલ છે. તેમાથી ૧૪૦૦થી વધુ વકિલો એવા છે કે, જે શહેરના મધ્ય વિસ્તારમાં રહે છે અને મધ્ય વિસ્તારમાં જ ઓફિસ ધરાવે છે. આ ૧૪૦૦થી વધુ વકિલોનો કાયમી રૂટ જામનગર રોડ જ છે. આ ઉપરાંત નવી કોર્ટ બિલ્ડીંગમાં તમામ ૪૫ પેટા કોર્ટ કાર્યરત થઇ ચુકી છે. ૪૫ ન્યાયધિશો છે. મોટાભાગના જજનો નિયમિત રૂટ પણ જામનગર રોડ જ છે.

આ વિસ્તારમાં છે મોટાભાગના વકિલોની ઓફિસ

  • ચૌધરી હાઇસ્કુલ પાસે ઉમેશ કોમ્પ્લેક્સમાં
  • કોમલ ચેમ્બર
  • હરીહર ચોકમાં આવેલા સ્ટાર બિલ્ડીંગ
  • સર્કિટ હાઉસ પાસે સ્ટાર પ્લાઝા
  • પંચનાથ મંદિર આસપાસનો વિસ્તાર
  • કેનાલ રોડ, ભૂતખાના
  • રજપૂત પરા
  • રાષ્ટ્રીય શાળા
  • લોધાવાડ ચોક
  • સંતકબીર રોડ અને પેડક રોડ

વકિલો માટે જ નહીં પણ હજારો શહેરીજનોના હિત માટે બાર એસો. લડશે

સાંઢિયાપુલના ડાયવર્ઝનમાં જે ત્રણ વર્ષનો પીડાદાયક યુગ શરૂ થયો છે તેમા માત્ર વકિલો કે જજના હિત પુરતી જ વાત નથી પણ હજારો શહેરીજનોને બ્રિજનું કામ પુરુ ન થાય ત્યા સુધી ભોગવવાની થતી હાલાકીનો સવાલ છે અને એ જોતા બાર એસોસિએશન કોઇપણ કાળે ડાયવર્ઝનની અંધાધૂંધી નિવારવા માટે મેદાનમાં આવ્યુ છે તેમ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ જણાવ્યુ હતુ.

પક્ષકારોની પણ થશે માઠી દશા

સાંઢિયાપુલના ડાયવર્ઝનને લઇને શહેરના બે ભાગમાં ફાડિયા પડી ગયા છે. આવી હાલત વચ્ચે કોર્ટ કામગીરી કે તારીખમાં જતા પક્ષકારોને માઠી દશા થવાની છે. જે દિવસે કોર્ટમાં તારીખ હોય એવા પક્ષકારો જો સમયસર પહોંચી ન શકે તો ન્યાયધિશ કંઇ તેની રાહ જોયને નથી બેસી રહેવાના. કાં તો મુદત પાડી દે કાં તો સીધુ જ સમસન્સ જારી કરી દેશે એવી દહેશત વચ્ચે પક્ષકારો માટે પણ મોટી ઉપાધિ આવી પડી છે.

બહારગામથી આવતા પક્ષકારો એસ.ટી. અથવા સિવિલ હોસ્પિટલ ચોક જ ઉતરે છે

રાજકોટની જુદી જુદી કોર્ટમાં હજારોની સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે અને તેમા સેંકડો પક્ષકારો એવા છે કે જે બહારગામના છે. આવા પક્ષકારો કાં તો પોતાની કારમાં અથવા તો એસ.ટી. બસમાં આવે છે. એસ.ટી.માં આવતા પક્ષકારો સિવિલ હોસ્પિટલ ચોક અથવા તો એસ.ટી. સ્ટેન્ડ ઉતરે છે. અત્યાર સુધી તો સાંઢિયાપુલ થઇને જ આવતા હતા પણ હવે અડધા શહેરની પ્રદક્ષિણા કરીને કોર્ટ સુધી પહોંચવુ પડશે.

પેટ્રોલ પમ્પથી ભોમેશ્વર ફાટક, એરપોર્ટની દિવાલ સુધી દર ૫૦૦ મીટરે ટ્રાફિક પોલીસ મુકો

ડાયવર્ઝન માટે બહાર પડેલા જાહેરનામા મુજબ સિવિલ તરફથી જામનગર રોડ પર બ્રિજની ડાબી બાજુ પેટ્રોલ પમ્પથી ભોમેશ્વર ફાટક અને ત્યાથી એરપોર્ટની દિવાલ થઇ જામનગર રોડ પરનો આ એક જ રૂટ એવો છે કે જેમા તમામ વાહનોને છૂટ છે. આ રૂટ પર સામેથી ટુ વ્હીલને આવવાની છૂટ છે. આ વન-વે રૂટ પર ગઇકાલે પ્રથમ દિવસે જ જે હાલત જોવા મળી હતી તેનાથી કહેવાતી ટ્રાફિક નિયમન વ્યવસ્થાના ચિંથરેહાલ નીકળી ગયા હતા. અડધો-પોણો કલાક સુધી વાહનચાલકો ચક્કાજામમાં ફસાયા હતા. વાહનો સામસામે અથડાતા હતા. વાહનચાલકો અંદરોઅંદર બાખડી પડતા હોય તેવા બનાવો પણ બન્યા હતા. પેટ્રોલ પમ્પથી લઇને ભોમેશ્વર ફાટક, ભોમેશ્વર મંદિર, એરપોર્ટની દિવાલ અને જામનગર રોડ ચડવામા આવે ત્યા સુધીના આ ડાયવર્ઝન રૂટ પર દર ૫૦૦ મીટરે રોડની બન્ને સાઇડ ટ્રાફિક પોલીસ મુકવામા આવે તો ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત થઇ શકે તેમ છે.

You Might Also Like

ઉના ગીર ગઢડા પંથકમાં વરસાદની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી 

ઉનાના સનખડામાં વિદ્યાર્થી વગર ધૂળખાતુ શાળાનું નવનિર્મિત બિલ્ડીંગ

ગીરગઢડાના જામવાળામાં વાડીએ પ્રોગ્રામમાં બોલાચાલી થતાં યુવાનની હત્યા કરતા ભાઇબંધો

ધોરાજી સ્મશાનમાં કામગીરી નબળી હોવાનું ભાજપ નેતાએ જ સ્વીકાર્યુ

રાજુલાના ભેરાઇ ચોકડી નજીક બ્રીજ પર બાઇકનો અકસ્માત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર
આંતરરાષ્ટ્રીય

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

Editor By Editor 5 days ago
હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
 ભારત તિબ્બત સંઘ આયોજીત કેમ્પમાં ૧૪૧ દર્દીની નાડીનું પરિક્ષણ
જળાશયોમાં જુલાઇના અંત સુધીનું જળસ્તર, ૬૮ના તળિયા દેખાયા, સૌરાષ્ટ્રમાં ૨૮ ટકા જથ્થો
રાજકોટના ચિરાગ ગોસ્વામીના સાયબર સુરક્ષા વિષયક પુસ્તકનું વિમોચન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?