By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    3 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: 30મીએ પીએમ મોદી અંબાજી ખાતે રેલ્વેલાઈનનું ખાતમુહુર્ત કરે તેવી શક્યતા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

30મીએ પીએમ મોદી અંબાજી ખાતે રેલ્વેલાઈનનું ખાતમુહુર્ત કરે તેવી શક્યતા

agragujaratnews
Last updated: 2023/10/28 at 5:03 PM
3 years ago
Share
30મીએ પીએમ મોદી અંબાજી ખાતે રેલ્વેલાઈનનું ખાતમુહુર્ત કરે તેવી શક્યતા
SHARE

  • તારંગા-અંબાજી રેલ્વેલાઈન માટે રેલ્વે વિભાગ દ્વારા જમીન સંપાદન કરાશે
  • સાબરકાંઠાના 20 અને બનાસકાંઠાના 16 ગામની ખેતીલાયક જમીન ખરીદાશે
  • સાબરકાંઠા, બનાસકાંઠાના 257 ખેડૂતોની જમીન ઉત્તર-પશ્વિમ રેલ્વે લાઈન માટે લેવાશે

કેન્દ્ર સરકારે થોડાક સમય અગાઉ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની પ્રજાને આસ્થાના પ્રતિક સમાન અંબાજીમાં બિરાજમાન અને શક્તિપીઠ તરીકે ઓળખાતા ધાર્મિક સ્થાનકને પ્રવાસનધામ તરીકે વધુ વિકાસ કરવાના આશયથી મહેસાણા જિલ્લાના તારંગા હિલથી અંબાજી-આબુરોડ સુધીની નવી મોટી રેલ્વેલાઈન નાંખવાની કરાયેલી જાહેરાત બાદ શનિવારે ઉત્તર-પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા જમીન સંપાદન માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી જમીન સંપાદનની કામગીરીના શ્રીગણેશ કરાયા છે. જેમાં સાબરકાંઠાના 20 અને બનાસકાંઠા 16 ગામોની કેટલીક ખેતીલાયક તથા ખાનગી માલિકીની જમીન સંપાદન કરવામાં આવશે. જોકે જમીનના માલિકોને સરકારી રાહે વળતર પણ મળશે. રેલ્વે દ્વારા અંદાજે 116.654 કિમી માટે સંપાદિત કરાયેલ જમીન પર રેલ્વે સ્ટેશન, રેલ્વેલાઈન, અંડરબ્રિજ, નાના પુલીયા તથા નાના મોટા ગરનાળા બનાવાશે. દરમ્યાન સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આગામી 30મીએ અંબાજી આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વેલાઈનનું ખાતમુહુર્ત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ અંગેની વિગત એવી છે કે ઉત્તર-પશ્વિમ રેલ્વેના મુખ્ય વહીવટી અધિકારી(નિર્માણ)એ જાહેરનામામાં જણાવ્યા મુજબ તારંગા હિલથી અંબાજી-આબુરોડ સુધી નવી રેલ્વેલાઈન બનાવવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય બાદ જમીન સંપાદન કરતા અગાઉ 2008 થી 2011 સુધીમાં અમલી બનેલ કલમ 20-એ ની પેટા કલમ (1) હેઠળ વિશેષ રેલ્વે પ્રોજેકટના અમલીકરણ, જાળવણી, સંચાલન અને ઓપરેશન હેતુ માટે સૂચિત જમીનનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગેજેટમાં જમીન સંપાદન કરવાના નિર્ણયની જાણકારી પ્રસિધ્ધ કરી દીધી હતી.

સૂચિત રેલ્વેલાઈન માટે સાબરકાંઠાના 20 અને બનાસકાંઠા જિલ્લાના 16 ગામોની સીમમાંથી પસાર થનારી રેલ્વેલાઈન પર આવતી જમીનો રેલ્વેતંત્ર હસ્તક કરાશે. ઉલ્લેખનીય છે કે તારંગા હિલથી અંબાજી અને રાજસ્થાનના આબુરોડ સુધી તૈયાર થનારી રેલ્વેલાઈન પર જ્યારે ટ્રેનો દોડતી થશે ત્યારે રાજસ્થાનના આબુરોડ પાસેના ગામો, બનાસકાંઠાના દાંતા તાલુકાના અને સાબરકાંઠાના પોશીના તાલુકાની પ્રજાને રાજ્યના અન્ય સ્થળે જવા માટે ખૂબ જ અનૂકુળતા રહેશે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના અન્ય સ્થળે જવા માટે જ્યાં રેલ્વેલાઈન પસાર થતી નથી તેવા વિસ્તારોને આગામી સમયમાં ફાયદો થશે. જેના લીધે રોડ પરના ટ્રાફિકનું ભારણ ઓછુ થવાની શક્યતા છે.

કયા જિલ્લાના કેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદિત થશે

નવી સૂચિત રેલ્વેલાઈન માટે ઉત્તર-પશ્વિમ વિભાગ દ્વારા જાહેરનામામાં જણાવાયા મુજબ સાબરકાંઠાના 148 જ્યારે બનાસકાંઠાના 109 ખેડૂતોની માલિકીની તથા ખેતીલાયક જમીન રેલ્વેતંત્રના તાબામાં આવી જશે

કયા તાલુકાના કેટલા ગામોની જમીન રેલ્વે લાઈન માટે સંપાદિત થશે ?

તારંગા હિલથી અંબાજી થઈ આબુરોડ સુધી તૈયાર થનારી રેલ્વેલાઈનમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના કોલંદ, પોશીનાના પેટાછાપરાની જમીનનો સમાવેશ થાય છે. તે જ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જસવાપુરા, ચોરાસણ, ઘોરડ, હાથીપગલા, સનાલી, ઉણોદરા, ઘોડાતન્તાની તથા દાલપુરાની સીમમાંથી પસાર થનાર સૂચિત રેલ્વેલાઈન માટે જમીન સંપાદિત કરાશે.

કયા ગામના કેટલા ખેડૂતોની જમીન જશે?

સૂચિત રેલ્વેલાઈન માટે સૌથી વધુ જમીન દાંતા તાલુકાના ઉણોદરા ગામના 27, સનાલી 22 જ્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પેટાછાપરાના 21 અને કોલંદ ગામના અંદાજે 15 ખેડૂતોની જમીન સંપાદિત કરાયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારી રાહે વળતર મળવાપાત્ર રહેશે.

સુચિત રેલ્વેલાઈન કયા તાલુકાઓમાંથી પસાર થશે?

મહેસાણા જિલ્લાના તારંગા હિલથી અંબાજી થઈને રાજસ્થાનના આબુરોડ સુધીની આ રેલ્વેલાઈન મહેસાણા જિલ્લાના ખેરાલુ, સતલાસણા, બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી પસાર થઈને પરત દાંતા તાલુકામાંથી રાજસ્થાનના આબુરોડ મુખ્ય રેલ્વે લાઈન સાથે જોડાઈ જશે.

ખેડબ્રહ્માથી અંબાજી વચ્ચે રેલ્વેલાઈન માટે સંજોગ ઉજળા

કેન્દ્ર સરકારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ઈડર, વડાલી થઈને ખેડબ્રહ્મા સુધીની મીટરગેજ રેલ્વેલાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેની કામગીરી તાજેતરમાં રેલ્વેતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને તેનું કામ પણ પ્રગતિમાં છે ત્યારે થોડાક સમય અગાઉ સાબરકાંઠના અગ્રણીઓએ બંને સાંસદોને ખેડબ્રહ્માને અંબાજીને જોડતી રેલ્વેલાઈન સાથે જોડી દેવાની માંગ કરી હતી.જેને લઈને આગામી સમયમાં સાબરકાંઠાની આ ઈચ્છા પરિપૂર્ણ થવાના સંજોગ ઉજળા બન્યા છે.

You Might Also Like

જેતપુરના દેવકીગાલોલ નજીક રોડ પરથી ઈંગ્લિશ દારૂનો જથ્થા ભરેલી કાર ઝડપાઇ

હળવદના કોયબામાં રબ્બરની કંપનીમાં ભીષણ આગ, ટાયરની વાસથી શ્વાસ રૂંધાયા

સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ

શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું

ગીર સોમનાથમાં રૂ. 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પતિના મોત બાદ વિધવા પર અત્યાચાર : સાસુ-નણંદે બળજબરીથી મુંડન કરાવ્યું
રાજકોટ

પતિના મોત બાદ વિધવા પર અત્યાચાર : સાસુ-નણંદે બળજબરીથી મુંડન કરાવ્યું

Editor By Editor 5 days ago
જેતપુરમાં PGVCLએ પરપ્રાંતિય શ્રમિકને ફટકાર્યુ રૂ.3૨.૭૨ લાખનું બીલ
રિલાયન્સ અને મેટા જામનગરમાં AI-સક્ષમ ડેટા સેન્ટર વિકસાવશે
મોટા રામપર પાસે બાઇક અકસ્માતમાં રેલનગરના યુવાનનું મોત, રેસિંગની ચર્ચા
કોટડા પંથકમાં તસ્કરો ગોડાઉનમાંથી જીરું અને ખેડૂતના ઘરેથી દાગીના ચોરી ગયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?