By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત

Editor
Last updated: 2026/06/27 at 4:50 PM
14 minutes ago
Share
TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત
SHARE

TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત

 રાજકોટમાં યોજાયેલી રાજ્ય કારોબારીમાં શિક્ષણ ક્ષેત્રની ખાલી જગ્યાઓ અને ભરતી મુદ્દે સરકાર સમક્ષ ઉઠ્યો આક્રોશ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના આજી વિસ્તારમાં સેવા ભારતી કાર્યાલય ખાતે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કક્ષાની આજે 27 જૂનના કારોબારી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના 75000 સહિત દેશના 25 લાખ શિક્ષકોને TET પરીક્ષા ફરજિયાતના મુદ્દાને લઈને 29 જૂનથી 5 જુલાઇ સુધી દેશના તમામ પક્ષના લોકસભાના 543 અને રાજ્યસભા 245 સાંસદોને આવેદનપત્ર આપવાનું એલાન થયુ છે. ભારતમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન તમામ સાંસદો શિક્ષકોના આ પ્રશ્નને વાચા આપે અને સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારો કરી વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે. આ દરમિયાન રાજ્યની શાળાઓમાં શિક્ષકો સહિત 33 હજાર જગ્યા ખાલી હોવાનું સામે આવ્યું છે જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 12 હજાર ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી બાકી હોવાનો મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાતના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના 9 સંવર્ગ કાર્યરત છે. જેમાં 1.20 લાખ સદસ્યો નોંધાયેલા છે. હાલમાં ટેટ પરીક્ષાની જે અનિવાર્યતા ઊભી થઈ છે તેને અનુલક્ષીને જેમને આ પરીક્ષા પાસ કરવાની થાય છે તેવા 75,000 જેટલા શિક્ષકો છે. જ્યારે ભારતના 25 લાખ શિક્ષકોને આ નિર્ણયની અસર થાય છે.

જેથી કેન્દ્રીય કક્ષાએથી જે કાર્યક્રમ આપવામાં આવેલો છે તે મુજબ 5 જુલાઈ સુધી સમગ્ર ભારતના તમામ પક્ષના સાંસદોનો સંપર્ક કરવામાં આવશે. જેમાં શિક્ષકોને જે તકલીફ પડે છે તેની વાત મૂકવામાં આવશે. શિક્ષકોની નોકરી, નોકરીની શરતો, તેમનું પ્રમોશન અને નિવૃત્તિમાં જે કંઈ પણ પ્રશ્નો છે તેની સાંસદોને રજૂઆત કરવામાં આવશે. જેમાં વિનંતી કરવામાં આવશે કે આગામી ચોમાસુ સત્રમાં શિક્ષકોનો અવાજ રજૂ કરવામાં આવે તેમના પ્રશ્નોની રજૂઆત થાય. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન, શૂન્ય કાળ દરમિયાન અથવા તો અથવા તો ચર્ચા સ્વરૂપે આ બાબતની ચર્ચા થાય અને શિક્ષકોના હિતમાં કાયદામાં જે કંઈ પણ સુધારો કરવાની જરૂર પડે તેની કાર્યવાહી કરવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જ ચુકાદો આપવામાં આવ્યો છે તેને સંગઠન પૂરેપૂરુ માન આપે છે પરંતુ 25 લાખ શિક્ષકોના પરિવારને પણ અસર થાય છે. જેમાં તેમની સેવા શરતો મુજબ તેમના મેરીટના આધારે નિમણૂક મળેલી છે. તેમને નોકરી મળી તે વખતેની સ્થિતિ અને આપેલી છૂટછાટના આધારે શિક્ષકોને ટેટ પરીક્ષાની અનિવાર્યતા માંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી છે.

સંગઠનની કાર્ય પધ્ધતિ અનુસાર પ્રદેશ કારોબારી નિયમિત રીતે મળતી હોય છે આવતીકાલે રાજકોટમાં પ્રદેશ કારોબારી છે અને તેમાં સમગ્ર ગુજરાતમાંથી 400થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. દરેક જિલ્લા અને રાજ્યકક્ષાએ જે પ્રશ્નો છે તેની ચર્ચા થશે ચર્ચા બાદ જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની રણનીતિ ઘડી કાઢવામાં આવશે.

જેમાં મુખ્યત્વે શાળાની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી મહેકમ પ્રમાણે કાયમી શિક્ષકોની નિમણુંક આપવામાં આવે, જ્ઞાન સહાયકની ભરતીમાં જે કંઈ પણ સુધારો કરવાનો છે તે પણ થાય, ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યા ખાલી છે તેની શિક્ષણ વિભાગ દ્વારા ભરતી કરવામાં આવે, પ્રાથમિક શાળાઓમાં સહાયક આપવા માટેની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે તે મુજબ શાળા સહાયક આપવામાં આવે તેવી માંગણી છે. આ સાથે જ CET ની પરીક્ષા અંગે પણ આવતીકાલની કારોબારી ચર્ચા થશે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં 12000 થી વધુ ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી બાકી છે અને સમગ્ર રાજ્યમાં તમામ સંવર્ગમાં 33,000 થી વધુ કાયમી જગ્યાઓ ખાલી છે. જેની ક્રમિક ભરતી માટે શૈક્ષિક મહાસંઘની કોર ટીમમાં ચર્ચા થઈ છે. આ કારોબારીમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને આગળની રણનીતિ ઘડવામાં આવશે. સરકાર સાથે આ અંગે રજૂઆત થયેલી છે અને બંને શિક્ષણ મંત્રી સાથે પણ બેઠક કરવામાં આવે છે. જેમાં રજૂઆતને યોગ્ય રીતે સાંભળવામાં આવી છે અને તે અંગે શિક્ષણ વિભાગને નિર્દેશ કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું છે. જોકે શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સત્વરે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી માંગણી છે. TET પરીક્ષા ફરજિયાતના ચુકાદા સામે એક લાખથી વધુ શિક્ષકો ધરણામાં જોડાયા હતા. જે અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું આવેદન પણ અપાયું છે. કેન્દ્રીય મંત્રીમંડળ પ્રધાનને મળ્યું છે અને ચર્ચા કરવામાં આવેલી છે.

You Might Also Like

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી
રાજકોટ

સાહિત્ય સેતુ અને વિરાણી હાઈસ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી

Editor By Editor 4 days ago
કોંગ્રેસે લાદેલી કલંકિત કટોકટીનો કાળો દિવસ પ્રજા ક્યારેય નહી ભૂલે : રાજુભાઈ ધ્રુવ 
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
 દાણાપીઠ, પરાબજારમાં પ્રતિબંધીત પ્લાસ્ટીકનો વેપાર કરતા વેપારીઓ પર મનપા ત્રાટકયું
 રાજકોટની જાળમાં ફસાવી સગાઈ કરી વારંવાર શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી મૂકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?