By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    7 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

Editor
Last updated: 2026/04/30 at 5:42 PM
21 hours ago
Share
લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન
SHARE

લોકોની સમસ્યાનો તાત્કાલીક નિવેડો લાવવા મુખ્યમંત્રીનું સરકારી વિભાગોને ફરમાન

૨૦થી વધારે સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા સહિતની કેબીનેટ બેઠકમાં ચર્ચા

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શાનદાર પરિણામો બાદ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બ્રિફિંગ આપતા જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ભાજપનો વિજય એ સરકારની કામગીરી પર જનતાએ મૂકેલો વિશ્વાસ છે. બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, SC, ST અને OBC સમાજના ઉત્થાન માટે સરકારે જે નીતિઓ અમલમાં મૂકી છે, તેનું પ્રતિબિંબ ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યું છે. આ વિજય સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. જનતાના આ ભરોસાને જાળવી રાખવા મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે લોકોની જે સમસ્યાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન ધ્યાન પર આવી છે, તેનો ત્વરિત નિકાલ કરવામાં આવે. ચીફ સેક્રેટરીને આ અંગે ખાસ આદેશ આપી અધૂરા કામો ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું છે.

બેઠકમાં આગામી આયોજનો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી 1 મે ના રોજ સુરત ખાતે ‘રીજિયોનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સ’ યોજાશે, જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આ કોન્ફરન્સમાં ટેક્સટાઈલ, ગ્રીન એનર્જી, સંરક્ષણ અને આઈટી જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, વહીવટી પારદર્શિતા વધારવા માટે મુખ્યમંત્રીએ 20 જેટલી સરકારી સેવાઓ ઓનલાઈન અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. નવા શિક્ષણ સત્ર અંગે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

૨૦૨૭માં પ્રચંડ વિજય મેળવશે ભાજપ : પ્રવકતા મંત્રી વાઘાણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાઈ ચૂક્યો છે, ત્યારે અત્યારથી વર્ષ 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એક મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે.

વિરોધ પક્ષ પર નિશાન સાધતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભલે ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જનતા તેમને સ્વીકારવા તૈયાર નથી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે 2027માં પણ કોંગ્રેસનો ‘પંનો’ ટૂંકો પડશે, વિપક્ષ પાસે ન તો કોઈ ચોક્કસ વિઝન છે કે ન તો નેતૃત્વ. ભાજપના વિકાસકાર્યો સામે વિરોધ પક્ષના તમામ દાવ ફેઈલ જશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપે અત્યારથી જ 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમે 2027ની જીત માટેનો મજબૂત પાયો તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ નાખી દીધો છે. જનતાનો ભાજપ પરનો અતૂટ વિશ્વાસ સાબિત કરે છે કે ભવિષ્યમાં પણ રાજ્યમાં કમળ જ ખીલશે.”

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને પાયાની સુવિધાઓના કામોને કારણે ભાજપ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. સંગઠનલક્ષી તૈયારીઓ અને કાર્યકર્તાઓના જોરે ભાજપ 2027માં ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં બનાવાશે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો

ચૂંટણી પૂરી થતાં જ વહિવટી માળખામાં ફેરફાર, ૬૦ અધિકારીની બઢતી-બદલી

કાયદો અને વ્યવસ્થા જાળવવી સરકારની પ્રથમ પ્રાથમિકતા : નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓ માટે બનાવેલા આવાસમાં કમાન્ડોનો આપઘાત

 સત્તા માટે રાજયમાં ૧૫મીએ ખેલાયેલા ખેલ લોકશાહી માટે ઘાતક : ઇટાલિયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો
ગુજરાત

પોરબંદરમાં વોર્ડ નં.૨ના આપના બે કાર્યકરો પર ભાજપ નેતાનો હૂમલો

Editor By Editor 6 days ago
વડીલોની કુનેહ અને મજબૂત નેતૃત્વથી રાજકોટમાં કમળ ખીલ્યુ : ઢોલરીયા-દવે
હંસરાજનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ : એક જ પરિવારના 5 સભ્યો દાઝ્યા
વોર્ડ નં.૧૦ શિક્ષીત અને પ્રબુધ્ધ નાગરિકોનો વિસ્તાર : ઘનશ્યામ હેરભા
આવતીકાલે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ‘શેડ લોકાર્પણ કાર્યક્રમ’ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?