By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    1 week ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    2 weeks ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    2 weeks ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 weeks ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી

Editor
Last updated: 2026/06/11 at 12:23 PM
3 hours ago
Share
કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી
SHARE

કેન્સરની સિસ્પેલેટિન અને કાર્બોપ્લેટીન દવાના ભાવમાં વધારા કરવા મંજૂરી

દેશભરમાં દવાની અછત સર્જાતા ઉત્પાદન ફરીથી રાબેતા મુજબ કરવા નિર્ણય : દર્દીઓને મોંઘવારીનો વધુ એક બોઝ

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

વૈશ્વિક તણાવ અને મોંઘવારીની અસર હવે સીધી આરોગ્ય ક્ષેત્ર પર પણ પડી રહી છે, જેનો મોટો માર કેન્સરના દર્દીઓને સહન કરવો પડી શકે છે. કેન્સરની સારવારમાં વપરાતી 2 અત્યંત મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓ – સિસ્પ્લેટિન (Cisplatin) અને કાર્બોપ્લેટીન (Carboplatin) ની દેશભરમાં ભારે અછત સર્જાઈ છે. આ અછતને પહોંચી વળવા અને દેશમાં તેનું ઉત્પાદન ફરીથી રાબેતા મુજબ કરવા માટે, કેન્દ્ર સરકારે આ બંને દવાઓના ભાવમાં વધારો કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

લાંબા સમયથી ચાલી આવતી અછતના કારણે દર્દીઓની સારવાર અટવાઈ રહી હતી, જેને ધ્યાનમાં રાખીને સરકારે આકરો પરંતુ જરૂરી નિર્ણય લીધો છે.

આ બે દવાઓની અછત એટલી ગંભીર બની ગઈ છે કે દેશની ટોચની હોસ્પિટલોમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. દિલ્હીની AIIMS અને મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ જેવી મોટી સંસ્થાઓના ડોક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ દવાઓ ફેફસાં, માથા, ગળા, સર્વાઇકલ અને ઓવેરિયન કેન્સર સહિત અનેક પ્રકારના કેન્સરની સારવાર માટે અત્યંત જરૂરી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ દવાઓનો બીજો કોઈ સચોટ અને સંપૂર્ણ વિકલ્પ બજારમાં ઉપલબ્ધ નથી.

અહેવાલો મુજબ, નિષ્ણાતોની એક સમિતિએ એવી ભલામણ કરી છે કે દર વર્ષે 10 ટકા સુધીના વધારાને બેઝલાઇન ગણી શકાય, પરંતુ કુલ ભાવવધારો 50 ટકા થી વધુ ન હોવો જોઈએ. જોકે, અંતિમ ભાવ ખરેખર ઉત્પાદન ખર્ચમાં કેટલો વધારો થયો છે તેના આધારે જ નક્કી કરવામાં આવશે.

જો આ દવાઓની અછત લાંબો સમય રહી હોત, તો દર્દીઓની સારવારમાં વિલંબ થઈ શક્યો હોત અને કેન્સર ફરી ઊથલો મારવાનું જોખમ વધી જાત. સરકારને આશા છે કે આ ભાવવધારા પછી ફાર્મા કંપનીઓ ફરીથી મોટા પાયે આ દવાઓ બનાવવાનું શરૂ કરશે, જેથી કેન્સરના દર્દીઓને સમયસર અને પૂરતી દવાઓ મળી રહે.

શું કામ અછત સર્જાઇ

નિષ્ણાતોનું માનીએ તો, આ દવાઓ બનાવવા માટે પ્લેટિનમ (Platinum) નો ઉપયોગ કાચા માલ તરીકે થાય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્લેટિનમના ભાવમાં 225 ટકા નો તોતિંગ ઉછાળો આવ્યો છે. માત્ર છેલ્લા 6 મહિનામાં જ તેનો ભાવ લગભગ બમણો થઈ ગયો છે. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં ઉત્પાદનની સમસ્યાઓ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધે સપ્લાય ચેઈનને ખરાબ રીતે ખોરવી નાખી છે.

ભાવ વધારાનું કારણ

આ બંને દવાઓના ભાવ લાંબા સમયથી સરકારના સીધા કંટ્રોલમાં હતા. દવા બનાવવાનો ખર્ચ વધવા છતાં, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO) ની મર્યાદાને કારણે ફાર્મા કંપનીઓ ભાવ વધારી શકતી ન હતી. નુકસાન જતું હોવાથી ઘણી કંપનીઓએ ઉત્પાદન ઘટાડી દીધું અથવા તો સાવ બંધ કરી દીધું. આ પરિસ્થિતિને જોતા, સરકારે DPCO 2013 ના ફકરા 19 નો ઉપયોગ કર્યો છે. આ એક વિશેષ કાયદો છે, જે ઇમરજન્સીમાં સરકારને સામાન્ય ભાવ નિયંત્રણના નિયમોની બહાર જઈને નિર્ણય લેવાની સત્તા આપે છે.

You Might Also Like

વિરપુર પો.સ્ટે. નોંધાયેલ પોક્સોના ગુન્હાના આરોપીને ઝડપી પાડતીમહીસાગર એલ.સી.બી.

લુણાવાડા ના સામાજિક કાર્યકર ના પ્રયત્ન થી પરિવાર થી વિખુટી પડેલ દીકરી નું પરિવાર સાથે કરાયું પુનઃમિલન.

વેરાવળ પાટણ જોડીયા શહેરનું નામકરણ “સોમનાથ” કરવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

વલભીપુર તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

ધોરાજીમાં રાંધણ ગેસના ભાવ વધારાના વિરોધમાં બાટલાનું બેસણું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત
વડોદરા

ખાટુ શ્યામના દર્શને જતાં સેલવાસના પરિવારનો વડોદરા નજીક અકસ્માત : 3ના મોત

Editor By Editor 2 days ago
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મહુવાના કળમોદરમાં નવા ચેકડેમનું કાર્ય શરૂ
રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત
5  જૂન સમગ્ર સૃષ્ટિના જીવોને  સંપૂર્ણ રીતે  સ્વસ્થ  જીવન  જીવવાનો  દિવસ 
ધોરાજીમાં રખડતાં ઢોરો મામલે હાઇકોર્ટનાં આદેશની અમલવારીનો ઉલાળ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?