By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    1 week ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 week ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!

Editor
Last updated: 2026/06/27 at 4:50 PM
14 minutes ago
Share
 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!
SHARE

 રાજકોટને મળ્યું આંતરરાષ્ટ્રીય એવિએશન ક્ષેત્રે મોટું સ્થાન!

 હિરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવાની યોજના; દિલ્હી-મુંબઈ-બેંગલુરુની હરોળમાં સ્થાન, મુસાફરોને મળશે ઝડપી ટ્રાન્સફર સુવિધા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

તાજેતરમાં ઇરાન-અમેરિકા વચ્ચે થયેલા યુધ્ધના કારણે ગલ્ફના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ દેશો પણ પ્રભાવિત થતા ભારતની વિશ્ર્વના ઘણા દેશો સાથેની હવાઇ સેવા લાંબો સમય સુધી અસરગ્રસ્ત રહી હતી. પરંતુ હવે ભારત સરકારે ગલ્ફના દેશો પરની નિર્ભરતા ઘટાડવા રાજકોટ સહિત ભારતના જ ચાર એરપોર્ટને ટ્રાન્ઝિટ હબ તરીબે વિકસાવવાનો નિર્ણય લીધો છે અને ઝડપભેર આ યોજના અમલી બનાવવા આયોજન કરવામાં આવ્યુ છે.
મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા દુબઇ, દોહા, અબુધાબી અને સિંગાપોરના વિકલ્પ રૂપે દિલ્હી, મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટની સાથે રાજકોટને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે ભારતનો 85 ટકા આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક આ ત્રણ દેશોના એરપોર્ટ પરથી ટ્રાન્ઝિટ થાય છે.

પરંતુ યુધ્ધ જેવી સ્થિતિમાં આ ત્રણ પૈકી એક પણ એરપોર્ટ બંધ થાય તો ભારતની આંતરરાષ્ટ્રીય વિમાની સેવાને સીધી અસર થાય છે. આથી સરકારે હવે દેશના ચાર એરપોર્ટને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ હબ તરીકે વિકસાવવાની યોજના પર ઝડપ ભેર કામ શરૂ કરી દીધુ છે. તેમ એરપોર્ટ ઓથોરિટીના ટોચના અધિકારીઓએ જણાવ્યુ હતું.
કેન્દ્ર સરકારે ભારતને વૈશ્વિક ઉડ્ડયન હબ બનાવવાના લક્ષ્‍ય સાથે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને રાજકોટ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ સેન્ટર (હબ) તરીકે કાર્યરત છે. આ પગલું ગલ્ફ દેશોના દુબઈ, દોહા અને અબુધાબી જેવા વિમાનમથકો પરથી આવતા આંતરરાષ્ટ્રીય કનેક્ટિંગ મુસાફરોને ભારત તરફ આકર્ષવા માટે છે. હાલમાં ઘણા ભારતીય મુસાફરો આ ગલ્ફ હબ્સ થઈને વિદેશ જાય છે, જેને કારણે ભારતને આવક અને સુવિધાનું નુકસાન થાય છે.

આ નવી વ્યવસ્થા હેઠળ મુસાફરોને ભારતીય એરપોર્ટ્સ પર જ આંતરરાષ્ટ્રીય અને દેશી ફ્લાઈટ્સ વચ્ચે સરળ ટ્રાન્સફર મળશે. ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને બેગેજ હેન્ડલિંગની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવામાં આવશે. આથી મુસાફરોનો સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક થશે. આ યોજના યુરોપ, નોર્થ અમેરિકા, સાઉથઈસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને ભારતીય ઉપખંડ વચ્ચેના મુસાફરો માટે ખાસ ફાયદાકારક સાબિત થશે.
રાજકોટ એરપોર્ટની પસંદગી ખાસ મહત્વની છે. હિરાસરમાં આવેલું આ આધુનિક ગ્રીનફિલ્ડ વિમાનમથક પશ્ચિમ ભારત અને ગલ્ફ દેશો વચ્ચે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી અને વિસ્તારની સંભાવનાને કારણે તેને પસંદ કરવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ પહેલેથી મોટા આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને હેન્ડલ કરે છે, જ્યારે રાજકોટ લાંબા ગાળાના હબ તરીકે વિકસવાની તૈયારીમાં છે. આનાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના લોકોને મોટો ફાયદો થશે. તેઓ હવે વિદેશ જવા માટે મોટા શહેરો પર આધાર રાખ્યા વગર સરળ કનેક્શન મેળવી શકશે.

આ નિર્ણયથી રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસને મોટો વેગ મળશે. વધુ એરલાઈન્સ આકર્ષાશે, પેસેન્જર અને કાર્ગો ટ્રાફિક વધશે. એરપોર્ટ સર્વિસીસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમ ક્ષેત્રે રોજગારની નવી તકો ઊભી થશે. દ્વારકા, સોમનાથ, ગીર જેવા પ્રવાસન સ્થળો પર વિદેશી પ્રવાસીઓ વધશે. સ્થાનિક ઔદ્યોગિક વિકાસને પણ ફાયદો થશે કારણ કે બિઝનેસ અને કાર્ગો કનેક્ટિવિટી સુધરશે.

સરકાર એરપોર્ટ મોડર્નાઈઝેશન, ટર્મિનલ વિસ્તાર અને એર કનેક્ટિવિટી પર સતત રોકાણ કરી રહી છે. આ યોજના ભારતીય એરલાઈન્સને લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ વિસ્તારવામાં મદદરૂૂપ થશે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં દેશી અને આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ નિર્ણય સાથે ભારત વૈશ્વિક ઉડ્ડયન હબ તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરશે.

રાજકોટ માટે આ ઐતિહાસિક તક છે. હિરાસર એરપોર્ટની આધુનિક સુવિધાઓને વધુ વિકસાવીને તેને પશ્ચિમ ભારતના મુખ્ય આંતરરાષ્ટ્રીય હબ તરીકે સ્થાપિત કરી શકાય. સ્થાનિક વહીવટ, વ્યવસાયિકો અને લોકોએ આ વિકાસનો પૂરો લાભ લેવા તૈયારી કરવી જોઈએ. આનાથી ગુજરાતના ઉડ્ડયન અને પર્યટન ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવશે.

નવી વ્યવસ્થા હેઠળ આ ચારેય એરપોર્ટ્સ પર મુસાફરો એક ફ્લાઈટથી બીજી ફ્લાઈટમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે. ઇમિગ્રેશન અને કસ્ટમ્સની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવશે. ચેક-ઇન કરેલો સામાન આપમેળે કનેક્ટિંગ ફ્લાઈટ પર પહોંચી જશે. આથી મુસાફરોને વારંવાર તપાસમાંથી પસાર થવાની જરૂૂર રહેશે નહીં. એર ઈન્ડિયા ટૂંક સમયમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કરશે. હાલ પ્રથમ ચરણમાં વારાણસીથી દિલ્હી આવતા મુસાફરો દિલ્હી પહોંચ્યા વગર જ ઇમિગ્રેશન પૂર્ણ કરી શકશે અને ત્યાંથી સીધા 17 આંતરરાષ્ટ્રીય શહેરો જેમ કે લંડન, ફ્રેન્કફર્ટ, મિલાન અને સિંગાપોર વગેરે માટે જોડાઈ શકશે.

આ વ્યવસ્થા ધીરે ધીરે અન્ય શહેરોમાં પણ વિસ્તારવામાં આવશે. રાજકોટ એરપોર્ટ આ યોજનામાં ખાસ મહત્વ ધરાવે છે. હિરાસરમાં આવેલું આ આધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પશ્ચિમ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું છે. ગલ્ફ દેશો સુધીનું અંતર ઓછું હોવાથી ફ્લાઈટ સમય ઓછો રહેશે. આ નિર્ણયથી રાજકોટને આંતરરાષ્ટ્રીય હબ તરીકે વિકસાવવાનો માર્ગ મોકળો થશે. સૌરાષ્ટ્રના લોકોને હવે મુંબઈ કે દિલ્હી જઈને વિદેશી ફ્લાઈટ પકડવાની જરૂૂર ઓછી થશે. ભવિષ્યમાં રાજકોટથી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂૂ થઈ શકે છે. આધુનિક ટર્મિનલ, એરોબ્રિજ અને અન્ય સુવિધાઓ પહેલેથી તૈયાર છે, તેથી વિકાસ ઝડપથી થઈ શકે છે.

You Might Also Like

મામાના દીકરાઓએ કરેલા હુમલામાં કારખાનેદાર યુવાનનું મોત

લીંબુડીવાડી ઓફિસ ચોરીમાં હાઈ-પ્રોફાઈલ તસ્કરો ઝડપાયા, અમદાવાદથી ભાડાની કાર લાવી ઘડ્યો હતો પ્લાન

પત્નીની હત્યા અને સાસુ પર જીવલેણ હુમલો: 8 વર્ષ જૂના કેસમાં આરોપીને આજીવન કેદ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

 સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા
ગોંડલ

યા હુસેનના ગગનભેદી નારા સાથે ગોંડલમાં 45 તાજીયા પડમાં આવ્યા

Editor By Editor 1 day ago
65 લાખના રોકાણ છેતરપિંડી કૌભાંડમાં ફરાર દંપતી ઝડપાયું
કતારમાં ગેસ પ્લાન્ટના બ્લાસ્ટમાં ગુજરાતી સહિત ૧3 ભારતીય લોકોના મોત
 વકીલો આરપારના મૂડમાં : સોમવારે રાજકોટની તમામ અદાલતમાં હડતાળ
રાજકોટમાં ‘ઓપન અંડર-14 અને અંડર-17 બોય્ઝ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026’નો રોમાંચ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?