- એસટી બસને નડ્યો અકસ્માત
- ભાવનગરમાં તળાજા પાસે બની ઘટના
- 21 મુસાફરોને થઈ ઈજા
ભાવનગરમાં એસટી વિભાગની એક બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં તળાજા નજીક એક એસટી બસ રોડ પરથી ઉતરી ગઈ હતી. જેથી અંદર બેઠેલા 21 મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હતી.
આ મામલે વધુ જાણકારી અનુસાર ભાવનગરમાં એસટી બસને રોડ પરથી નીચે ઉતરી ગઈ હોવાની જાણકારી સામે આવી હતી. આ ઘટનાની વધુ માહિતી પ્રમાણે આ બનાવ તળાજા નજીક બન્યો હોવાનું સામે આવ્યું હતું. મહુવા ભાવનગર રૂટની આ બસને અકસ્માત નડતા તેના પરિણામસ્વરૂપે બસમાં બેઠેલા 21 લોકો પ્રભાવિત થયા હતા. આ તમામ 21 મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘાયલોને વધુ સારવાર મળી રહે તે માટે તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ ઘટના એસટી બસનો પાટો તૂટી જવાના લીધે બની હોવાની સંભાવના સેવાઈ રહેલી છે. આ મામલે વધુ જાણકારી પ્રમાણે બસનો પાટો તૂટી જવાના લીધે બસ એક તરફ ખેંચાઈ હતી. જેના લીધે બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. આ મામલામાં બસની અંદર સવાર 21 મુસાફરોને નાની-મોટી ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણકારી મળતાં જ લોકોના ટોળાં ઈજાગ્રસ્તોની મદદ માટે આસપાસના વિસ્તારોમાંથી ઉમટી આવ્યા હતા.
લોકોના ટોળાએ ઘાયલોને તરત મદદ કરી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ ઘાયલોને સારવાર મળી રહી છે. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ મુસાફરને જાનહાનિ થઈ નથી.


