- એનેસ્થેસિયાનું ઇન્જેકશન લઈ કર્યો હતો આપઘાત
- મૃતકના કેમિકલ, વિસેરા અને એચપીના જરૂરી સેમ્પલ લેવાયા
- સેમ્પલ તપાસ માટે ફોરેન્સિક, પેથોલોજી લેબોરેટરીમાં મોકલાયા
સુરતમાં ડો.ઉદય પટેલના આપઘાતના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં એનેસ્થેસિયાનું ઇન્જેકશન લઈ ડો.ઉદય પટેલે આપઘાત કર્યો હતો. તથા ઇન્જેક્શનની જગ્યાના ચામડીનું સેમ્પલ લેવાયુ છે. તથા મૃતકના કેમિકલ, વિસેરા અને એચપીના જરૂરી સેમ્પલ લેવાયા છે.
સેમ્પલ તપાસ માટે ફોરેન્સિક, પેથોલોજી લેબોરેટરીમાં મોકલાયા
સેમ્પલ તપાસ માટે ફોરેન્સિક, પેથોલોજી લેબોરેટરીમાં મોકલાયા છે. તેમજ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. ડોકટર ઉદય પટેલે ભેદી સંજોગોમાં આપઘાત કર્યો છે. રાંદેર રોડ સ્થિત તાડવાડી વિસ્તારમાં તેમનું દવાખાનું આવ્યું છે. દવાખાનું ચલાવતા ડોક્ટરના આપઘાતને લઈ અનેક સવાલ છે. તથા મનીષ સોલંકી આપઘાત પ્રકરણ બાદ હવે ડોકટરના આપઘાતના કારણ વિશે શંકાકુશંકાઓ થઇ રહી છે.
નર્સ પાસે પહેલા એસિડીટી માટે ઇન્જેક્શન મૂકાવ્યા બાદ અંતિમ પગલું ભર્યુ
નર્સ પાસે પહેલા એસિડીટી માટે ઇન્જેક્શન મૂકાવ્યા બાદ અંતિમ પગલું ભર્યુ હતુ. જેમાં નર્સે ઇન્જેક્શન મુક્યા બાદ તબીબે આપઘાત કર્યો હતો. મૃતકે ડાબા હાથમાં ઇન્જેક્શન લીધું હતુ. તેમજ ઇન્જેક્શનની જગ્યાના ચામડીના સેમ્પલ લેવાયા છે. સૂત્રો અનુસાર અડાજણ વિસ્તારના પટેલનગર સોસાયટીમાં રહેતા ડો.ઉદયભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.54 ) એ આત્મહત્યા કરી હતી. જાણીતા તબીબે રાંદેરના તાડવાડી વિસ્તરામાં આવેલ પોતાની પટેલ હોસ્પિટલમાં પોતાના હાથમાં વેઈન ફ્લો નાખી કોઈ ઈન્જેકશન મારી લીધું હતું. ડો. ઉદય હોસ્પિટલ સ્ટાફને બેભાન હાલતમાં મળી આવ્યા હતા જેમને મૃત ઘોષિત કરાયા હતા.


