By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    8 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:37 AM
2 years ago
Share
AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે
SHARE

  • AMC હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ
  • AMCની વેબસાઈટ પર તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે  
  • AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 પ્લોટનું ઈ- ઓક્શન કરવામાં આવશે. AMC દ્વારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી મારફતે રૂ. 1,000 કરોડની આવક એકત્રિત કરશે. AMC દ્વારા કુલ 40,326 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા 8 પ્લોટનું ઈ-ઓક્શન મારફતે વેચાણ કરવામાં આવશે. આ હેતુસર અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવશે. AMC દ્વારા બોડકદેવ વોર્ડમાં FP- 387માં આવેલા 4,626 ચો.મી.ની પ્લોટની હરાજી માટે સૌથી વધુ અપસેટ વેલ્ય ચો.મી. દીઠ રૂ. 2,89,000 નક્કી કરવામાં આવી છે. બોડકદેવ વોર્ડમાં કોમર્શિયલ હેતુ ધરાવતા કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવશે. જે પૈકી બોડકદેવમાં FP – 379/બીના 4,658 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો. મી. દીઠ રૂ. 2,70,000 અને FP – 353ના 13,222 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 2,52,000ની અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. AMC દ્વારા હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ છે. જ્યારે ત્રણ પ્લોટ જેટકો કંપનીને વેચીને રૂ. 200 કરોડની આવક થશે. AMC દ્વારા ઈ-ઓક્શન કરવામાં આવનાર 8 પ્લોટ પૈકી 6 પ્લોટ કોમર્શિયલ હેતુ ધરાવે છે અને 2 પ્લોટ રેસિડેન્શિયલ હેતુ ધરાવે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાઈનલ T. P. સ્કીમ અંતર્ગત AMCને મળેલા પ્લોટોની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ પ્લોટ માટે અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને અપસેટ વેલ્યૂ સાથેના પ્લોટોની માહિતી આપવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરીને ઈ- ઓક્શન માટેની તારીખ, સમય, વગેરે વિગતો સહિતની જાહેર ખબર પ્રસિદ્ધ કરાશે અને AMCની વેબસાઈટ પર પણ તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે. AMC દ્વારા નક્કી કરાયેલી અપસેટ વેલ્ય (મિનિમમ રેટ)થી વધુ ભાવ કે રેટ ઓફર કરવા તૈયાર થાય તે પાર્ટીને હરાજી મારફતે પ્લોટ વેચવામાં આવશે.

AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં AMCને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં નિયમ મુજબ 40 ટકા કપાત અંતર્ગત પ્રાપ્ત થયેલા પ્લોટ પૈકી 1,500 ચો.મી.થી 2,000 ચો. મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ, T.P. સ્કીમમાં FP અંતર્ગત મળેલા નાના પ્લોટોમાં પણ ડેવલપમેન્ટ થઈ શકે તે હેતુસર 1,500 કે 2,000 ચો.મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવામાં આવશે. આ હેતુસર વિગતો મંગાવવામાં આવી છે અને તે અંગે ટૂંક સમયમાં જરૂરી ઔપચારિકતા પૂરી કરીને ઓક્શન કરવામાં આવશે.

T.P.માં ‘અભિપ્રાય’ ઓનલાઈન કરાશેઃ નવું સોફ્ટવેર ડેવલપ કરાશે

ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત AMCના જુદા જુદા વિભાગોમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવામાં નોંધપાત્ર વિલંબ થતો હોવાને કારણે ડેવલપર્સ સહિત નાના- મોટા બાંધકામ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ મામલે અવાર નવાર વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ બાબતને ધ્યાનમાં લઈને AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે. આ હેતુસર નવું સોફ્ટવેર ડેવલપ કરવામાં આવશે. જેના પરિણામે કોઈપણ T.P. સ્કીમમાં ‘અભિપ્રાય’ આપવામાં થયેલા વિલંબનું કારણ જાણી શકાશે અને તેનો ઉકેલ લાવી શકાશે અને જવાબદાર સામે પગલાં લઈ શકાશે. આ જ પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગમાં પણ ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 6 days ago
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?