- કોંગ્રેસના સાંસદના ઘરે આવકવેરાના દરોડા યથાવત
- છઠ્ઠા દિવસે પણ રૂપિયાની ગણતરી ચાલુ
- 300 કરોડનો પાર પહોંચ્યો રોકડ રકમનો આંકડો
કોગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના 9 સ્થળો પર આવકવેરાના દરોડાનો આજે છઠ્ઠો દિવસ છે. જો કે હાલમાં પણ રાંચી સ્થિત તેના ઘરે રૂપિયાની ગણતરી ચાલી રહી છે. પરંતુ અત્યાર સુધીમાં 353.5 કરોડ રોકડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જો કે આજની ગણતરી ચાલી રહી છે જેથી આ આંકડો વધી પણ શકે છે.
નોટોની ગણતરીમાં લાગ્યા અધિકારીઓ
સ્થાનિક બેંકોના જણાવ્યા અનુસાર સ્ટેટ બેંકના 50 થી વધુ કર્મચારીઓએ 25 થી વધુ મશીનોનો ઉપયોગ કરીને આ નોટોની ગણતરી કરવામાં આવી છે.ગણતરી દરમિયાન મશીનો બે વખત તો મશીન ગરમ થઈ જતા કામગીરી બંધ રાખવી પડી હતી. જો કે આટલી મોટી રકમ જોઇને આવકવેરા અધિકારીઓ પણ ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયા છે. અગાઉ 2019માં કાનપુરમાં GSTના દરોડામાં 257 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
સત્તાવાર નિવેદન ક્યારે બહાર પાડવામાં આવશે?
દરોડા પૂરા ન થાય ત્યાં સુધી આવકવેરા વિભાગ કોઈપણ દરોડા અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરતું નથી. ઉપરાંત, રોકડ, ઘરેણાં, મિલકત સહિત તમામ દસ્તાવેજોની આકારણી કર્યા પછી જ, ભારત સરકારના આવકવેરા વિભાગ તેનું સત્તાવાર નિવેદન આપે છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ જ વિભાગ સંબંધિત વ્યક્તિને રોકડ અને અન્ય વસૂલાત અંગે પ્રશ્નો પૂછે છે.
સાચી વિગતો ન આપે તો નાણાં થશે જપ્ત
જો રોકડ, વસૂલ કરેલ ઘરેણાં, મિલકતની સાચી વિગતો આપવામાં ન આવે તો વસૂલાત જપ્ત કરવામાં આવે છે અને બેંકમાં જમા કરવામાં આવે છે. રાંચીમાં મતગણતરી પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ ધીરજ સાહુની પૂછપરછ કરશે. સાહુના પરિવારના સભ્યો પાસેથી ઘણી રોકડ પણ મળી આવી હોવાથી આવકવેરા વિભાગ તમામને તપાસની નોટિસ આપશે અને આગળની કાર્યવાહી કરશે.


