- વાઘોડિયામાં 48 વર્ષીય મીનેશ જેઠવાનું હાર્ટ એટેકથી મોત
- કાપડનું કટિંગ કરતી વખતે મીનેશ જેઠવા ઢળી પડ્યા
- હરણી રોડ પર 49 વર્ષીય ભરત સુથારનું મોત
વડોદરામાં 48 કલાકમાં હાર્ટ એટેકથી 2ના મોત થયા છે. જેમાં વાઘોડિયામાં 48 વર્ષીય મીનેશ જેઠવાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં કાપડનું કટિંગ કરતી વખતે મીનેશ જેઠવા ઢળી પડ્યા હતા. તેજમ સારવાર દરમિયાન તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
હરણી રોડ પર 49 વર્ષીય ભરત સુથારનું મોત
બીજી ઘટનામાં હરણી રોડ પર 49 વર્ષીય ભરત સુથારનું મોત થયુ છે. પીઠમાં દુખાવો થતા બામ લગાવ્યો હતો. તથા નોકરીએ ગયા બાદ અડધા કલાકમાં હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં વડોદરામાં 48 કલાકમાં વધુ બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આ પ્રકારના કિસ્સાઓ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અગાઉ પણ 24 કલાકમાં હાર્ટ એટેકના કારણે રાજ્યમાં 7થી વધુ લોકોના મોત થયાં હતા. જેમાં રાજકોટમાં જ 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના હૃદય થંભી જવાથી મોત થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું હતુ.
40થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયાં હોવાનો દાવો
આ પ્રકારના મોતની ઘટનાઓને લઈને તબીબોમાં પણ ચિંતાઓ વધી છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણામાં હાર્ટ એટેકના કારણે થયેલા મોતના કિસ્સા સામે આવ્યાં છે. છેલ્લા 10 દિવસમાં 40થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત થયાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ 46 ટકા કેસમાં વધારો
આ વર્ષે નવરાત્રી દરમિયાન ગત વર્ષ કરતા વધુ ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 108 ઇમરજન્સી સેવા દ્વારા જે દર વર્ષે એનાલિસિસ કરવામાં આવે છે. તે પ્રમાણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં 10 ટકા થી વધારે કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 18% થી વધુ કેસ નોંધાયા છે. ઈમરજન્સી કેસમાં શ્વાસ રોગ, હૃદય રોગ અને અકસ્માતના કેસ સૌથી વધુ નોંધાયા હતા છે. તેમાં પણ રાજ્યમાં હૃદયને લગતા કેસમાં ગત વર્ષની સરખામણીએ 46 ટકા કેસમાં વધારો નોધાયો છે.