ગતરોજ તારીખ 28 નવેમ્બરના રોજ સાણંદ ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડે જનસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ ,ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપસિંહ વાઘેલા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહીત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિક જનતાએ પણ પોતાની હાજરી આપી હતી.
આ ગુજરાત સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરજીભાઈ પટેલ (અમથાપુર) સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, હોદ્દેદારો, સમર્થકો અને સામાજિક આગેવાનો એમ કુલ મળીને 2000થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાણંદ નગરપાલિકા અને સાણંદ વિધાનસભા માટે આ ગુજરાત જોડો જનસભા એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.
વિગતવાર વાત કરીએ તો, ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરજીભાઈ પટેલ (અમથાપુર) આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાણંદ તાલુકામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાને હરાવીને ભાજપને સાણંદ તાલુકામાં ઉભી કરનાર આગેવાન તરીકે તેઓ જાણીતા છે. હરજીભાઈ 42 વર્ષથી ભાજપમાં કાર્યરત રહ્યા છે અને જિલ્લા પંચાયતના ચેરમેન, શિક્ષણ સમિતિના અને કારોબારી ચેરમેન પણ તેઓ રહી ચૂક્યા છે. સાથે સાથે ધોળકા વિધાનસભાના પૂર્વ પ્રભારી પણ તેઓ રહી ચૂક્યા છે અને તાલુકામાં ભાજપના તમામ પ્રોગ્રામનું આયોજન પણ તેઓ જ કરતા હતા.
હરજીભાઈ પટેલની સાથે સાથે કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગોવિંદભાઈ મેરાભાઈ, સાણંદ તાલુકા પંચાયતના સદસ્ય ગૌતમભાઈ કાંશીરામભાઈ, ભાજપના પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ચમનભાઈ મેર, ભાજપના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અરજણભાઈ નાગરભાઈ, ભાજપના પૂર્વ મંત્રી બાબુભાઈ સોમાભાઈ, કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દયારામ ભાઈ વાલજીભાઈ, ભાજપના પૂર્વ યુવા મહામંત્રી અર્જુનભાઈ કમાભાઈ, સોની સમાજના આગેવાન ઉમેશભાઈ સોની સહિત મોટી સંખ્યામાં સરપંચો, ઉપસરપંચો, પૂર્વ સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો સામાજિક આગેવાનો સહિત 2000થી વધુ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ આગેવાનોને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા.
આ જનસભામાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, નવી પરિવર્તનની લહેરની શરૂઆત સાણંદમાંથી થઈ ચૂકી છે. આજે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા છે તેમને હું અભિનંદન આપું છું.
આજે હરજીભાઈ પટેલ સાથે ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ભાજપ કોંગ્રેસના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સારા નેતાઓને કહેવા માગું છું કે પાપનું પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. જો પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો જે રીતે ભાજપને લાવ્યા હતા તેવી જ રીતે ભાજપને ભગાડવી પડે અને ભાજપને ભગાડી શકે તેવી તમારી પાસે માત્ર એક જ પાર્ટી છે તે છે આમ આદમી પાર્ટી.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.


