વિશ્વઉમિયાધામ જાસપુર, અમદાવાદ ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશિર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. હવે ગર્ભગૃહ સહિત સમગ્ર પરિસરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 2020 વિશ્વઉમિયાધામ મંદિરના શિલાન્યાસ વખતે ભાગીરથી મા ગંગાના પવિત્ર જળથી ભરેલા 108 કળશનું પૂજન કરાયું હતું. સાથે જ ભારતની પવિત્ર 108 નદીઓના જળથી સમગ્ર ગર્ભગૃહને પવિત્ર કરાયું અને 108 નદીઓના પવિત્ર જળથી ભરેલા કળશનું પૂજન કર્યા બાદ માતાજીના સ્થાન નીચે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.


