મેઘાણીનગર વિસ્તારમાં આડેધડ રોડ રસ્તા પર ઊભા થયેલા દબાણ હટાવવા માટેની સ્થાનિકોની લાંબા સમયથી માંગણી છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી રહી નથી.
જયભીમ ચોક પાસે બે વર્ષથી દબાણ હટાવવા માટેની સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જેમાં આસોડિયા સોસાયટીના ભાર્ગવ રોડથી સચ્ચિદાનંદ સુધીનો રોડ 45 ફુટથી પણ ઓછો થઈ ગયો છે અને ટ્રાફ્કિનું ભારણ પણ બમણું થયું છે તેમ છતાં કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.
આ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરતા જણાવ્યું કે, આસોડિયા સોસાયટીનો રોડ છેલ્લા 2 વર્ષથી પહોળો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. તેમાં TP 30 અને TP 96 હેઠળ જયભીમ ચોકથી સંત રોહિદાસ હોલ સુધીના વિસ્તારમાં 10થી વધુ સોસાયટી આવેલી છે. છતાં પણ રોડ પર દબાણ વધતા અહીંથી અવરજવર માટે મુશ્કેલી વધી વધી રહી છે. આ સ્થિતિમાં રોડના વિસ્તાર કરવા અને માપણી કરી દબાણ હટાવવા માટેની કામગીરી અગાઉ પણ કરવામાં આવી છે પણ તેને કોઈ કારણોસર પૂર્ણ કરવામાં આવી રહી નથી. જેના કારણે અહીં દિવસભર ભારે ટ્રાફ્કિ જામ સ્થિતિ હોય છે. આ ઉપરાંત લોકોને ચાલતા રોડ ક્રોસ કરવા માટે પણ મુશ્કેલી પડે છે. આ અંગે સ્થાનિકોએ ઘણી વખત લેખિત રજૂઆત કરી પણ કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.
લીમડા બસ સ્ટેન્ડ પાસે જ દુકાનોનું દબાણ છતાં કોઈ કામગીરી નહીં
એક તરફ્ AMC દ્વારા રોડ પરથી અને બસ સ્ટેન્ડ પાસે આવેલા દબાણ હટાવવા માટે કામગીરી કરવામાં આવે છે. પરંતુ લીમડા બસ સ્ટેન્ડ અને તેના આસપાસ 3 થી 4 દુકાનના દબાણ રહેલા છે જેને હટાવવામાં તંત્ર રસ દાખવી રહ્યું નથી. આ કારણે લોકોને ટ્રાફ્કિમાંથી પસાર થવું પડી રહ્યું હોવાની સ્થાનિકોની રજૂઆત છે.


