By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:37 AM
3 years ago
Share
AMCને બખ્ખાં : આઠ પ્લોટનું ઈ-ઓક્શન કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરશે
SHARE

  • AMC હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ
  • AMCની વેબસાઈટ પર તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે  
  • AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 8 પ્લોટનું ઈ- ઓક્શન કરવામાં આવશે. AMC દ્વારા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી મારફતે રૂ. 1,000 કરોડની આવક એકત્રિત કરશે. AMC દ્વારા કુલ 40,326 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતા 8 પ્લોટનું ઈ-ઓક્શન મારફતે વેચાણ કરવામાં આવશે. આ હેતુસર અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરવામાં આવશે. AMC દ્વારા બોડકદેવ વોર્ડમાં FP- 387માં આવેલા 4,626 ચો.મી.ની પ્લોટની હરાજી માટે સૌથી વધુ અપસેટ વેલ્ય ચો.મી. દીઠ રૂ. 2,89,000 નક્કી કરવામાં આવી છે. બોડકદેવ વોર્ડમાં કોમર્શિયલ હેતુ ધરાવતા કુલ ત્રણ પ્લોટની હરાજી કરવામાં આવશે. જે પૈકી બોડકદેવમાં FP – 379/બીના 4,658 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો. મી. દીઠ રૂ. 2,70,000 અને FP – 353ના 13,222 ચો.મી. એરિયાના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 2,52,000ની અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના પ્લોટની હરાજી કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. AMC દ્વારા હરાજી મારફતે પાંચ પ્લોટ વેચીને રૂ. 800 કરોડની આવક ઉભી કરવાનો અંદાજ છે. જ્યારે ત્રણ પ્લોટ જેટકો કંપનીને વેચીને રૂ. 200 કરોડની આવક થશે. AMC દ્વારા ઈ-ઓક્શન કરવામાં આવનાર 8 પ્લોટ પૈકી 6 પ્લોટ કોમર્શિયલ હેતુ ધરાવે છે અને 2 પ્લોટ રેસિડેન્શિયલ હેતુ ધરાવે છે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાઈનલ T. P. સ્કીમ અંતર્ગત AMCને મળેલા પ્લોટોની હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ તમામ પ્લોટ માટે અપસેટ વેલ્ય નક્કી કરવામાં આવી છે અને અપસેટ વેલ્યૂ સાથેના પ્લોટોની માહિતી આપવામાં આવી છે અને ટુંક સમયમાં ટેન્ડર પ્રોસેસ હાથ ધરીને ઈ- ઓક્શન માટેની તારીખ, સમય, વગેરે વિગતો સહિતની જાહેર ખબર પ્રસિદ્ધ કરાશે અને AMCની વેબસાઈટ પર પણ તે અંગેની માહિતી અપલોડ કરવામાં આવશે. AMC દ્વારા નક્કી કરાયેલી અપસેટ વેલ્ય (મિનિમમ રેટ)થી વધુ ભાવ કે રેટ ઓફર કરવા તૈયાર થાય તે પાર્ટીને હરાજી મારફતે પ્લોટ વેચવામાં આવશે.

AMC 2,000 ચો.મી. સુધીના નાના પ્લોટોની પણ હરાજી કરશે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં AMCને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં નિયમ મુજબ 40 ટકા કપાત અંતર્ગત પ્રાપ્ત થયેલા પ્લોટ પૈકી 1,500 ચો.મી.થી 2,000 ચો. મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ, T.P. સ્કીમમાં FP અંતર્ગત મળેલા નાના પ્લોટોમાં પણ ડેવલપમેન્ટ થઈ શકે તે હેતુસર 1,500 કે 2,000 ચો.મી.નો એરિયા ધરાવતા નાના પ્લોટોની પણ હરાજી કરવામાં આવશે. આ હેતુસર વિગતો મંગાવવામાં આવી છે અને તે અંગે ટૂંક સમયમાં જરૂરી ઔપચારિકતા પૂરી કરીને ઓક્શન કરવામાં આવશે.

T.P.માં ‘અભિપ્રાય’ ઓનલાઈન કરાશેઃ નવું સોફ્ટવેર ડેવલપ કરાશે

ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત AMCના જુદા જુદા વિભાગોમાં ઓનલાઈન સિસ્ટમનો અમલ કરવામાં આવી રહ્યો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવામાં નોંધપાત્ર વિલંબ થતો હોવાને કારણે ડેવલપર્સ સહિત નાના- મોટા બાંધકામ કરનારાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને આ મામલે અવાર નવાર વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે. આ બાબતને ધ્યાનમાં લઈને AMCના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા T. P. સ્કીમ સંબંધિત ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે. આ હેતુસર નવું સોફ્ટવેર ડેવલપ કરવામાં આવશે. જેના પરિણામે કોઈપણ T.P. સ્કીમમાં ‘અભિપ્રાય’ આપવામાં થયેલા વિલંબનું કારણ જાણી શકાશે અને તેનો ઉકેલ લાવી શકાશે અને જવાબદાર સામે પગલાં લઈ શકાશે. આ જ પ્રમાણે ફાયર બ્રિગેડ વિભાગમાં પણ ‘અભિપ્રાય’ આપવાનું ઓનલાઈન કરવામાં આવશે.

You Might Also Like

વેરાવળમાં બે પેઢીમાંથી 11 કિલો એનાલોગ ચીઝ ઝડપાયુ

રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ

વિરપુરના પીઠડીયામાં સરકારી ખરાબામાં ગેરકાયદે ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું

ધોરાજી તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી ઝડપાઈ

દીવમાં મતદાર યાદી સુધારણા અંગે મહત્વની બેઠક યોજાઇ : ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ, (પેટા) ચૂંટણી પંચના નિરીક્ષક ઓમકાર ગોપાલ રાઠેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષો સાથે ચર્ચા; એક જ દિવસમાં ૭૦૦ થી ૮૦૦ લોકોના હિયરિંગથી મતદારોને મુશ્કેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આચાર્ય બનવા ૯૦૦૦થી વધારે ઉમેદવારે આપી HTAT પરીક્ષા
રાજકોટ

આચાર્ય બનવા ૯૦૦૦થી વધારે ઉમેદવારે આપી HTAT પરીક્ષા

Editor By Editor 2 days ago
ગોંડલના ચોરડી ગામે ગૌચરમાં વીજપોલના વિરોધમાં જેટકોની ‘પ્રતિકાત્મક સ્મશાન યાત્રા’ કાઢી
મોરબી રોડ રોકાણકારોનો ફેવરીટ:  જુલાઈમાં રૂ.32 કરોડના 1936 દસ્તાવેજો થયા
રાજકોટની સરકારી પોલીટેકનિક ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?