ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું
બહુ જ ટૂંકા જીવન દરમિયાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મૂકી ગયા : ગોરધનભાઈ ઝડફિયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્ધભાઈ દવેના માર્ગદર્શન મુજબ તથા પ્રદેશ વક્તા ગોરધનભાઈ ઝડફીયા, જીલ્લા સંગઠન પ્રભારી ભરતભાઈ આર્ય, જીલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, જીલ્લા વક્તાઓ રાજેન્દ્રભાઈ ધારૈયા, ડો.દિપકભાઈ પીપળીયા, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા મેઘાણી રંગભવન ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી જન્મ જયંતી સ્મૃતિ પખવાડીયા અંતર્ગત ‘કાર્યકર્તા સંમેલન’ યોજાયુ હતું.
આ કાર્યક્રમ વક્તાઓ દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન-કવનના અલગ અલગ વિષયો ઉપર સૌને અવગત કર્યા હતા. જેમાં ગોરધનભાઈ ઝડફિયાએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું સામાજીક અને રાજનીતિક યોગદાન, રાજેન્દ્રભાઈ ધારૈયાએ ભારતીય જનસંઘના સંસ્થાપક અધ્યક્ષના રૂપમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી તથા ડો.દિપકભાઈ પીપળીયા દ્વારા કેન્દ્રીય મંત્રીના રૂપમાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશના વિકાસમાં આપેલ યોગદાન જેવા વિવિધ વિષયો પર ઉપસ્થિત સૌ કાર્યકર્તાને અવગત કર્યા હતા.
વધુમાં, ગોરધનભાઈ ઝડફિયાએ ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનું સામાજીક અને રાજનીતિક યોગદાન વિષે જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ..એક શહીદ. બહુ જ ટૂંકા જીવન દરમિયાન ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ત્યાગ, બલિદાન અને સમર્પણની અમીટ છાપ મૂકી ગયા.
આ કાર્યકર્તા સંમેલનમાં રાજકોટ જીલ્લા ભાજપના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, જીલ્લાના સેલના કન્વીનર, સહ-કન્વીનર, જીલ્લા કારોબારી સભ્યો, મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, મંડલની ટીમ, જીલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનો, સીનીયર અગ્રણીઓ સહીતના મંડલમાંથી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓનું શાબ્દિક સ્વાગત જીલ્લા મહામંત્રી હરેશભાઈ હેરભા, આભારદર્શન જીલ્લા મહામંત્રી રવિભાઈ માંકડિયા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જશ્રી રાજેશભાઈ ગોંડલીયા અને સહ-ઇન્ચાર્જશ્રી પ્રકાશભાઈ સોલંકી, કુલદીપસિંહ જાડેજાની યાદીમાં જણાવે છે.


