By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    2 hours ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 day ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    2 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    3 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા

Editor
Last updated: 2026/04/23 at 4:16 PM
2 hours ago
Share
જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા
SHARE

જૂનાગઢની સરકારી હોસ્ટેલમાં એડમીશન વગર રહેતા વિદ્યાર્થીની આત્મહત્યા

માનસિક બિમાર હોવાની પિતાની કબૂલાત, અગાઉ પણ આપઘાતની કોશીશ કરી હતી

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી ‘ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય’માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (એડમિશન) વગર ‘ગેસ્ટ’ તરીકે રહેતો હતો. આ ઘટનાએ સરકારી હોસ્ટેલોમાં ચાલતા ગેરકાયદેસર વહીવટ અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાની ગંભીર પોલ ખોલી દીધી છે.

આ ઘટનાના માત્ર 16 દિવસ પહેલા જ 4 એપ્રિલ, 2026ના રોજ હર્ષ જાદવ નામના વિદ્યાર્થીએ જિલ્લા કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારી ચેતન પવારને લેખિતમાં આ ગેરકાયદેસર વહીવટની જાણ કરી હતી. વિદ્યાર્થીએ પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી કે, હોસ્ટેલમાં ગેરકાયદે યુવાનો રહે છે. જો તે સમયે તંત્રએ તપાસ કરી હોત અને કાર્યવાહી કરી હોત તો કદાચ આજે એક આશાસ્પદ યુવાનનો જીવ બચી શક્યો હોત. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓને વોર્ડન અને સિક્યુરિટી દ્વારા અત્યંત અભદ્ર રીતે ધમકાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા, જે તંત્રની દાદાગીરી અને ભ્રષ્ટ માનસિકતા દર્શાવે છે.

મૃતક જયેશ સોલંકી MSC સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા ભીખાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જયેશ છેલ્લા 9 વર્ષથી આ હોસ્ટેલમાં રહેતો હતો. તે માનસિક રીતે બીમાર હતો અને દવાઓ ચાલુ હતી. અગાઉ પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રશ્ન એ થાય છે કે, ગંભીર માનસિક બીમારી ધરાવતો યુવાન કોઈપણ સત્તાવાર નોંધ વગર સરકારી હોસ્ટેલમાં કેવી રીતે રહી શકે? હોસ્ટેલના CCTV હોવા છતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેમ અધિકારીઓની નજરે ન ચડી?

આ ઘટના માત્ર એક આત્મહત્યા નથી, પરંતુ વહીવટી તંત્રની નિષ્ફળતાનું સ્મારક છે. હોસ્ટેલના આ કૌભાંડમાં મોટું રાજકીય પીઠબળ હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે કલેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી અને વોર્ડન જેવા જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે. જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે અને લાયક વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનતા રહેશે. તેવી ચર્ચા થઇ રહી છે.

You Might Also Like

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનું ઇન્ડિયન બજેટ કવેસ્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન

જૂનાગઢમાં બાળકોની ફી સહાય માટે કરેલી ૨૮૯૨માંથી ૨૨૧૮ રત્ન કલાકારની અરજી રદ

પિતાની ઈચ્છા મુજબ વાજતે ગાજતે અંતિમયાત્રા, મૃત્યુને મહોત્સવમાં ફેરવ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે
રાજકોટ

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ રાજકોટ-સૌરાષ્ટ્રને ધમરોળશે

Editor By Editor 5 days ago
છ વર્ષથી ફરાર મર્ડર કેસના કેદીને રાજકોટ રેન્જની ટીમે સુરેન્દ્રનગરમાંથી દબોચ્યો
વલસાડના પારડીના સિવિલ જજને પખવાડીયામાં સરેન્ડર થવા આદેશ
અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો
ટિકિટ કપાતા મોચી સમાજે ભાજપ સામે હથોડો પછાડયો, કમલમમાં થઇ બેઠક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?