By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    9 hours ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    1 day ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    2 days ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    3 days ago
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    આ વિશ્વનું દુર્ભાગ્ય છે કે સત્તા આગળ અને સત્ પાછળ રહી જાય છે: મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલી

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

Editor
Last updated: 2026/05/27 at 3:50 PM
3 days ago
Share
રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો
SHARE

રાજભા ગઢવીને મંજૂરી મળતા વર્ષોથી અરજી કરનાર માલધારીઓનો સરકાર સામે મોરચો

 વનવિભાગની કિન્નાખોરીથી હેરાનગતિ વધી હોવાના આક્ષેપ : અમરેલી-જૂનાગઢના માલધારીઓની ગાંધીનગર સુધી ફરિયાદ : ઉગ્ર આંદોલનની ચીમકી

 

અગ્ર ગુજરાત, અમરેલી

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ અમરેલીના ધારી વિસ્તારમાં ગીરમાં આવેલી જમીન પર ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી માગી હતી. આ અરજી ગણતરીના સમયગાળામાં મંજૂર થઈ ગઈ. બીજી તરફ, માલધારી તરીકે મંજૂરી મેળવવા વર્ષોથી રાહ જોઈ રહેલા અમરેલી અને જૂનાગઢ જિલ્લાના માલધારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પોતાની વર્ષો જૂની અરજીઓ નામંજૂર થવા પાછળ વનવિભાગની કિન્નાખોરી જવાબદાર હોવાનો આક્ષેપ કરાયો છે. નારાજ માલધારીઓએ હવે ગાંધીનગર સુધી રજૂઆતો કરીને ન્યાય મેળવવા લડત શરૂ કરી છે.

ગીરમાં વસવાટ કરવા માટે રાજભા ગઢવીના પિતાએ અગાઉ અરજી કરી હતી પણ તે નામંજૂર થઈ હતી. એ પછી મે મહિનાની 19મી તારીખે રાજભા ગઢવી ગાંધીનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઓફિસે પહોંચ્યા હતા, તેમની સાથે કીર્તિદાન ગઢવી અને રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હતા. રાજભા ગઢવી અને તેમના કાકા હરસુરભાઈ કરસનભાઈ ધાનતા (ચારણ) દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અંદાજીત 16 વર્ષ પહેલાં તેઓ વાંઢીયું (માલઢોર) લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારથી રજીસ્ટરમાં તેમની નોંધ બંધ થઈ ગઈ હતી, જેના કારણે તેમનો રોજગારનો હક છીનવાઈ ગયો છે. આથી પાણીયા રેન્જના કરકડી નેસમાં ઝૂંપડા બાંધવા અને પશુપાલન માટે મંજૂરી આપવામાં આવે.

રાજભા ગઢવીના પિતા ગોવિંદભાઈ કરશનભાઈ ચારણે 8 ઓગસ્ટ, 2023ના રોજ વન વિભાગને એક અરજી કરી હતી. તેમની રજૂઆત હતી કે આજથી અંદાજે 13 વર્ષ પહેલાં ગીરના જંગલમાં ઘાસની તંગી હતી. એટલે માટે તેઓ માલઢોર લઈને લીલાપાણી નેસ છોડીને બહાર જતા રહ્યા હતા. પરંતુ હવે ફરીથી લીલાપાણી નેસમાં પરત આવવા પરવાનગી મળવી જોઈએ.

માલધારી ગોલણભાઈ જેબલીયાએ જણાવ્યું કે તેઓ રાજાશાહીના સમયથી, એટલે કે 1939થી માલધારી છે અને તેમની પાસે 1966 સુધીના કાયમી મસવાડી પાસના પુરાવા પણ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ફોરેસ્ટ પાસેથી કોઈ જમીન કે મકાન લીધું નથી અને તેઓ કાયમી માલધારી છે.

તેમણે સરકારના 1970 પહેલાના પરિપત્રનો ઉલ્લેખ કર્યો, જે મુજબ એક જ નેહડા પર 3 વર્ષથી મસવાડી પાસ ધરાવતા માલધારીઓને મંજૂરી આપવાની જોગવાઈ છે. ગોલણભાઈએ આક્ષેપ કર્યો કે તેમની અરજીઓ કિનાખોરી રાખીને ફાઇલ કરી દેવાય છે, જ્યારે રાજભા ગઢવી જેવા સેલિબ્રિટીને ઝડપથી મંજૂરી મળી જાય છે.

સામાન્ય માલધારીઓ પાસે પણ માલઢોર સહિતના તમામ પાકા પુરાવા હોવાનું જણાવી રહ્યા છે. તેઓ માંગ કરી રહ્યા છે કે રાજભા ગઢવીએ જેટલા પુરાવા રજૂ કર્યા છે, તેટલા જ પુરાવા તેઓ પણ રજૂ કરવા તૈયાર છે અને તેમને પણ ન્યાય મળવો જોઈએ. ગઈકાલે કેટલાક માલધારીઓ ગાંધીનગર PCCF સુધી રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેના કારણે આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

ગાંધીનગરમાં જૂનાગઢ સહિત ગીર આસપાસના ગામડામાં રહેતા માલધારીઓ ગાંધીનગર ખાતે એકત્ર થયા હતા અને PCCF સાથે મુલાકાત કરી રાજ્ય સરકારમાં નેસમાં મંજૂરી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જૂનાગઢ સહિતના વિસ્તારોમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટેની તૈયારીઓ થઈ રહી છે.

You Might Also Like

અમરેલી જિલ્લામાં સતત આવતા ભુકંપના આંચકાથી ભૂગર્ભ જળને અસર

અમરેલી, ખાંભા, સા.કુંડલા અને બરવાળામાં કમોસમી વરસાદ

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો

જાફરાબાદના બાબરકોટ ગામે દરીયા કિનારે મહાકાય વ્હેલ માછલી મૃત હાલતમા મળી આવી….

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વન વિભાગના ૧૨ વેટરનરી ડોકટરોએ સરકારનું નાક દબાવ્યુ, રાજીનામા
રાજકોટ

વન વિભાગના ૧૨ વેટરનરી ડોકટરોએ સરકારનું નાક દબાવ્યુ, રાજીનામા

Editor By Editor 2 days ago
બદલતા મોસમે કૂતરાની પ્રકૃતિ બદલી: 120 દિ’મા 6000ના લોચા કાઢ્યા
સૂર મહિમા ગ્રુપ દ્વારા શનિવારે યોજાશે સૂરો કી સાધના નાઇટ શો
બાગેશ્વરનો દરબાર ‘અંધશ્રધ્ધાનો મહાકુંભ’ પરસોત્તમ પીપળીયાની પોસ્ટથી હડકંપ
 સલામત ગુજરાત : ૧૧ રાજય કરતા ગુનાખોરીનો ગ્રાફ નીચો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?