- ચૈતન્ય સંધાણીને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ અપાયો
- ઈતિહાસમાં પ્રથમવાર આવો એવોર્ડ મેળવવાનું શ્રોય આ અધિકારીના ફાળે જાય છે
- સંકૃતિ માટે તલસ્પર્શી કાર્ય કરનાર લોકોને પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું
જાણીતા તત્વચિંતક, લેખક અને આણંદના નાયબ મામલતદાર ચૈતન્ય સંધાણીને તેમની આધ્યાત્મિક અને સાંકૃતિક પ્રવૃત્તીઓના ઉપલક્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સાંકૃતિક યોદ્ધા પુરસ્કાર એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા આણંદ જિલ્લાના ઈતિહાસમાં પ્રથમવાર આવો એવોર્ડ મેળવવાનું શ્રોય આ અધિકારીના ફાળે જાય છે.
ગુજરાત સરકારના યુવા રમત ગમત અને સાંકૃતિક વિભાગ દ્વારા સેવ કલ્ચર સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રેરણાથી જે સંતો અને મહાનુભાવો દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે તેમને ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બિરદાવવાનું નક્કી કરવામાં આવ્યું. સંકૃતિ ટકશે તો દેશનો વિકાસ યોગ્ય દિશામાં થશે, તેવા વિચારને કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઈતિહાસમાં પહેલીવાર સંકૃતિ માટે તલસ્પર્શી કાર્ય કરનાર લોકોને પુરસ્કાર આપવાનું નક્કી કરવામાં આવ્યું. આવો ગૌરવવંતો પુરસ્કાર જૈન સંત અને પદ્મભૂષણથી સન્માનિત પૂ. રત્નસુંદરજી વિજયજી મહારાજ સાહેબ સ્વામી પરમાત્માનંદજીની સાથે એવી યુવા પ્રતિભાવોને પણ આપવામાં આવ્યો કે જેમણે પોતાનું જીવન ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વિભિન્ન રીતે સમર્પિત કર્યુ છે.