By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    58 minutes ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ

Editor
Last updated: 2026/07/02 at 4:17 PM
30 minutes ago
Share
 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ
SHARE

રાજકોટ મનપાના પદાધિકારીઓની ગંભીર બેદરકારી

 સમિતિઓના ચેરમેન ગેરહાજર, લાઇટ-પંખાઓ ચાલુ

 ૧૫માંથી ૧૨ વડાઓ ગેરહાજર રહેતા અને વીજળીનો બગાડ થતાં સ્ટે.ચેરમેન આક્રમક : લોકોના પૈસાનો વ્યય થતો હોવાની ચર્ચા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી છાશવારે સામે આવતી હોય ત્યારે ચૂંટણી બાદ હાલ મનપામાં ૧૫ સમિતિઓના વડાની નિયુકિત કરવામાં આવી હતી ચેરમેન બનવાની સાથે જ બેદરકારી સામે આવી છે. ૧૫માંથી ત્રણ સમિતિના ચેરમેન જ પોતાની ઓફિસમાં જોવા મળ્યા હતા. જયારે ૧૨ ચેરમેન ગેરહાજર જોવા મળતા સ્ટેન્ડિંગ ચેરમેન લાલઘૂમ થયા હતાં.

12 સમિતિના ચેરમેનો પોતાની ચેમ્બરમાં હાજર નહોતા, તેમની બંધ અને ખાલી ચેમ્બરોમાં લાઈટ, પંખા અને એસી ધમધમતા જોવા મળ્યા હતા. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં કરકસર કરવા તેમજ વીજળીનો બગાડ અટકાવવાની અપીલ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ મનપાના નવનિયુક્ત ચેરમેનો વડાપ્રધાનની આ કરકસરની અપીલના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રજાના ટેક્સના પૈસાનો આ પ્રકારે બેફામ બગાડ થતો જોઈને મનપા કચેરીમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો.

આ સમગ્ર ઘટનાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે તમામ ચેરમેનોની નિમણૂંક કરવામાં આવી હતી, ત્યારે જ મેયર અને શહેર ભાજપ પ્રમુખ માધવભાઈની હાજરીમાં એક સંકલનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ તમામ નવનિયુક્ત ચેરમેનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેમણે પોતાની ચેમ્બરમાં વધુમાં વધુ સમય હાજર રહેવું, જેથી મનપા ખાતે પોતાના કામ અર્થે આવતા અરજદારોને મુશ્કેલી ન પડે અને તેમને ચેરમેનોની સેવાનો સીધો લાભ મળી શકે.

પરેશ પીપળીયાએ પોતાના વિશે દાવો કરતા કહ્યું હતું કે, તેઓ પોતે જ્યારે પણ ચેમ્બરમાં હાજર નથી હોતા ત્યારે તેમની ચેમ્બરના તમામ વીજ ઉપકરણો બંધ રાખવામાં આવે છે. અને તેઓ પોતે પણ આ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે. આપણે ઘરમાં જે રીતે વીજળીનો કરકસરથી ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે અહીં પણ કરવો જોઈએ. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્ટેન્ડિંગ ચેરમેનના આ આદેશ બાદ ગેરહાજર રહેતા ચેરમેનોની શાન ઠેકાણે આવે છે કે નહીં.

બેદરકારી નહી ચલાવી લેવાય : સ્ટે.ચેરમેન

ચેરમેનોની ગેરહાજરી અને વીજ ઉપકરણો પણ ચાલુ હોવાની બાબત સ્ટેન્ડિંગ ચેરમેનના ધ્યાને આવતા ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે આ બેદરકારીને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. તેઓ ફરીથી તમામ સમિતિના ચેરમેનોને કડક આદેશ કરશે કે તેઓ નિયમિત અને સમયસર પોતાની ચેમ્બરમાં હાજર રહે. આ સાથે જ તેમણે વીજળીના બગાડ અંગે પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, જ્યારે ચેરમેન કે અન્ય કોઈ વ્યક્તિ ચેમ્બરમાં હાજર ન હોય ત્યારે તમામ લાઈટ, પંખા અને એસી જેવા વીજ ઉપકરણો ફરજિયાત બંધ રાખવાના રહેશે.

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત
રાજકોટ

ધાબા પરથી કોમન પ્લોટમાં પટકાતા 39 વર્ષીય યુવાનનું કરુણ મોત

Editor By Editor 5 days ago
ગીરગઢડાના ફાટસરની શાળાના શિક્ષકને આપી યાદગાર વિદાય
ગોંડલમાં વીજ કરંટ લાગતા 35 થી વધુ ઘેટાંના કમકમાટીભર્યા મોત, માલધારીઓમાં રોષ
શાળામાં ૧૬.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન, પણ પુસ્તક ક્યા?
લોધિકાના હરિપર (પાળ) ગામે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?